લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના નિવાસસ્થાન પર પાડવામાં આવેલા દરોડામાં ઈડીને મોટી માત્રામાં વિદેશી કરન્સી ઉપરાંત રોકડ રકમ અને સોનું પણ મળી આવ્યું છે.
લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વીને CBIનું સમન્સ
લાલુ યાદવના સંબંધીઓના ઘરેથી મળી રોકડ અને સોનું
EDએ ગતરોજ 15 ઠેકાણાઓ પર પાડ્યા હતા દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના નિવાસસ્થાન પર પાડવામાં આવેલા દરોડામાં મોટી માત્રામાં રોકડ, ડોલર સહિત સોનાના દાગીના મળી આવ્યા છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં તપાસના સંદર્ભમાં EDએ બિહાર સહિત અનેક શહેરોમાં લાલુ પ્રસાદ યાદવના પરિવાર, સંબંધીઓ અને આરજેડી નેતાઓના ઘર પર દરોડા પાડ્યા હતા. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, દરોડા દરમિયાન 53 લાખ રૂપિયા રોકડ, 1,900 અમેરિકી ડોલર, લગભગ 540 ગ્રામ સોનું અને 1.5 કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને CBIએ સમન્સ પાઠવ્યું છે. તેઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2023
ગતરોજ EDએ પાડ્યા હતા દરોડા
EDએ શુક્રવારે લાલુ યાદવના સહયોગીઓના દિલ્હી, મુંબઈ, નોઈડા અને પટનામાં 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં દિલ્હીમાં તેજસ્વી યાદવનું ઘર, લાલુની ત્રણ દીકરીઓ હેમા, રાગિણી અને ચંદાનું ઘર સામેલ હતું. આ ઉપરાંત લાલુ યાદવના વેવાઈ જિતેન્દ્ર યાદવના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
કેન્દ્ર પર વિપક્ષના પ્રહાર
લાલુ પ્રસાય યાદવના સગા-સંબંધીઓ અને પરિવારજનોના નિવાસ સ્થાન પર પવાડમાં આવેલા દરોડાની વિપક્ષે એક સ્વરમાં ટીકા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'છેલ્લા 14 કલાકથી મોદીજીએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે EDને બેસાડી રાખી છે. તેમની ગર્ભવતી પત્ની અને બહેનોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ જી વૃદ્ધ છે, બીમાર છે, તો પણ મોદી સરકારે તેમના પ્રત્યે માનવતા દાખવી નથી. હવે પાણી માથાથી ઉપર ચાલ્યું ગયું છે. મોદી સરકાર, વિપક્ષી નેતાઓ પર ED-CBIનો દુરુપયોગ કરીને લોકશાહીને હત્યાનો દૂષિત પ્રયાસ કરી રહી છે.'
PM को विपक्ष ने जो पत्र लिखा है उसमें महाराष्ट्र से शरद पवार और उद्धव ठाकरे है,उसमें तेजस्वी यादव के भी हस्ताक्षर हैं और अब यह कार्रवाई हो रही।2 दिन से लालू यादव और उनके परिवार के पर यह रेड चल रही है। सरकार आपातकाल नहीं बल्कि तानाशाही से भी उपर उठ कर यह कर रही है: सांसद संजय राउत pic.twitter.com/XfwytuXsZc
શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?
લેન્ડ ફોર જોબ સ્કેમનો આ કેસ 14 વર્ષ જૂનો છે, એ સમયે લાલુ યાદવ રેલ મંત્રી હતા. હાલ દાવો કરવામાં આવ્યો છે કે લાલુ યાદવ જે સમયે રેલ મંત્રી હતા એ સમયે રેલવેમાં લોકોને નોકરી આપવાને બદલે જમીન રાઈટ ઓફ કરાવી હતી. મહત્વનું છે કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલવે મંત્રી હતા. જણાવી દઈએ કે, સીબીઆઈએ આ મામલે 18 મેના રોજ કેસ નોંધ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર, લોકોની પહેલા રેલવેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર સબ્સ્ટીટ્યૂટ તરીકે ભરતી કરવામાં આવી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો, ત્યારે તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા હતા. CBIનું કહેવું છે કે, લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી.
દિલ્હીની કોર્ટે પણ જારી કર્યા છે સમન્સ
તાજેતરમાં જ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે લાલુ યાદવના પરિવારને સમન્સ જારી કર્યા છે. આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાનું છે.