એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો નથી.
ઈડીએ મનીષ સિસોદીયા વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો નથી
ન્યૂઝ એજન્સીને ઈડીના અધિકારીએ જણાવી સત્યતા
અગાઉ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો નથી.થોડી વાર પહેલા ન્યૂઝ એજન્સી ANIએ ઈડીના અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે, ઈડીએ સિસોદિયા પર મની લોન્ડ્રીંગનો મામલો નોંધ્યો છે. જો કે હવે બતાવ્યું છે કે, ઈડીએ મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ કેસ નોંધ્યો નથી.
આપને જણાવી દઈએ કે, આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ FIR નોંધી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને સિસોદિયાના દિલ્હી સ્થિત આવાસ સહિત 31 જગ્યા પર દરોડા પણ પાડ્યા હતા.
ED has not registered case against Manish Sisodia in excise policy row, clarifies top agency official
આ મામલામાં સીબીઆઈ આઠ લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર પણ જાહેર કરી ચુકી છે. સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમના વિરુદ્ધ આ ખોટા કેસ છે. તેમણે કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ સાધતા કહ્યું હતું કે, આ તમામ ખોટા કેસ છે. હું એક ઈમાનદાર માણસ છું, હકીકતમાં હું અરવિંદ કેજરીવાલની ટીમ સાથે છું, એટલા માટે આ બધું કરી રહ્યા છે, તેમનો ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે.
મનીષ સિસોદીયાએ ભાજપ પર લગાવ્યો આરોપ
નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ ભાજપને લઈને સનસનીખેજ દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમને ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરાઈ હતી અને કહ્યું હતું કે, જો તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી અને ભાજપમાં સામેલ થઈ જાય, તો તમામ કેસો બંધ કરી દેવામાં આવશે, જો કે ભાજપે મનીષ સિસોદીયાના આ દાવાનું ખંડન કર્યું છે અને તેમને પુરાવા રજૂ કરવા માટે કહ્યું છે.