જ્યોતિષ શાસ્ત્રમાં લાલ મરચાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી અનેક સમસ્યાઓનું નિવારણ આવે છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
જીવનમાં આવતી પરેશાનીઓ માટે વાસ્તુદોષ તથા અન્ય જ્યોતિષ કારણ પણ જવાબદાર
આ પરેશાનીઓ માટે નજરદોષ જવાબદાર
લાલ મરચાના ઉપાય કરીને પરેશાનીથી મેળવો છુટકારો
લગભગ તમામ લોકોનું જીવન સંઘર્ષભર્યું હોય છે. જીવનમાં આવતી પરેશાનીઓ માટે વાસ્તુદોષ તથા અન્ય જ્યોતિષ કારણ પણ જવાબદાર હોય છે. જ્યારે પણ આ સમસ્યાનો ઉચિત ઉપાય કરવામાં ના આવે તો તે સમસ્યા પૂર્ણ થતી નથી. અનેક લોકો આ પરેશાનીઓ માટે નજરદોષને પણ જવાબદાર માને છે. જે માટે જ્યોતિષ શાસ્ત્રમાં લાલ મરચાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી અનેક સમસ્યાઓનું નિવારણ આવે છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
નજર દોષથી મુક્તિ-
જો તમારા ઘરને કોઈ વ્યક્તિની ખરાબ નજર લાગી છે, તો તે માટે લાલ મરચાના ઉપાય કરવાથી લાભ થાય છે. તે માટે એક મુઠીમાં 7 લાલ મરચા લો અને જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથેથી 7 વાર સીધા ક્રમે અને 7 વાર ઉંધા ક્રમે ફેરવીને આગમાં નાખી દો. આ પ્રકારે કરવાથી નજર દોષ થવાની માન્યતા છે.
પરેશાનીઓ દૂર થાય છે-
તમામ વ્યક્તિઓના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. અનેક વાર એવી સમસ્યા આવે છે, કે જે ક્યારેય દૂર થતી નથી. જે માટે એક મોટા વાસણમાં 21 લાલ મરચાના બીજ નાખી દો. સૂતા સમયે આ વાસણ માથા પાસે રાખીને સૂવું. બીજા દિવસે તે વાસણ માથા પરથી ફેરવીને ઘરની બહાર ફેંકી દો. આ પ્રકારે કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થવાની માન્યતા છે.
દુશ્મન પર વિજય-
તમારી સતત દુશ્મની વધી રહી હોય તો લાલ મરચાના ઉપાય કરવા જોઈએ. તે માટે મંગળવાર અથવા શનિવારની રાત્રે ઘરની આગળ ખાડો કરો. હવે 5 લાલ મરચા લઈને તમારા માથેથી 5 વાર ફેરવીને તે ખાડામાં દાટી દો. મરચા ખાડામાં નાખતા સમયે પાછળ વળીને ના જોવું જોઈએ. આ પ્રકારે કરવાથી દુશ્મનોનો નાશ થવાની માન્યતા છે.
સફળતા પ્રાપ્તિ-
જીવનમાં સતત અસફળતા મલી રહી હોય તો લાલ મરચાના ઉપાય કરવા જોઈએ. 5 લાલ મરચા લો અને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા ઘરના ઉંબરે મુકી દો. જે પણ કાર્ય માટે બહાર જાવ ત્યારે તે મરચા ઘરની બહાર લઈ જવા. આ પ્રકારે કરવાથી સફળતા પ્રાપ્ત થવાની માન્યતા છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)