મ્યાનમાર - ભારત બોર્ડર વિસ્તારમાં શુક્રવારની સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મ્યાનમાર - ભારત બોર્ડર વિસ્તારમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપના આંચકાની યુરોપીય ભૂમધ્ય ભૂંકપ કેન્દ્રે આપી
બાંગ્લાદેશના ચટગાંમથી 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
મ્યાનમાર - ભારત બોર્ડર વિસ્તારમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા
મ્યાનમાર - ભારત બોર્ડર પર ભૂકંપના આંચકાની યુરોપીય ભૂમધ્ય ભૂંકપ કેન્દ્રે (European-Mediterranean Seismological Centre) આપી છે. જાણકારી અનુસાર બાંગ્લાદેશના ચટગાવમાં 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાથી ધરતી કાંપી. સમાચાર છે કે ભૂકંપના ઝટકા ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં અનુભવાયા. આ ઉપરાંત શુક્રવારે ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો છે.
An earthquake of magnitude 6.3 strikes 175 km E of Chittagong, Bangladesh (Myanmar-India border region) about 9 minutes ago: European-Mediterranean Seismological Centre (EMSC) pic.twitter.com/nePZp4elmD
બાંગ્લાદેશના ચટગાંમથી 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
સમાચાર એજન્સી એએનઆઈએ EMSCના હવાલાથી લખ્યું કે લગભગ 9 મિનિટ પહેલા બાંગ્લાદેશના ચટગાંમથી 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હાલમાં આ ભૂકંપના ચાલતા કોઈ પણ જાનહાનીના સમાચાર નથી. બીજી તરફ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મિઝોરમના થેનવોલથી 73 ક્યાંક દૂર દક્ષિણ- પૂર્વમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
શનિવારે બપોરે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
આસામના સૌથી મોટા શહેર ગુવાહાટી સહિત રાજ્યના અનેક ભાગોમાં શનિવારે બપોરે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આંકડા અનુસાર ભૂકંપના કેન્દ્ર કામરુપ જિલ્લામાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતો. રાતે 1 વાગીને 12 મિનટ પર ભૂકંપનો આંચકો ગુવાહાટી અને આસાપાસના વિસ્તારમાં અનુભવાયો હતો.
પૂર્વોત્તરના આ વિસ્તાર ભૂકંપને લઈને સંવેદનશીલ
આનાથી જાનમાલને નુકસાનની સૂચના નથી. પૂર્વોત્તરના આ વિસ્તાર ભૂકંપને લઈને સંવેદનશીલ છે. અને વિસ્તારમાં અવાર નવાર ભૂકંપનો આંચકો અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલે પણ રાજ્યમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને અનેક બિલ્ડિંગોને નુકસાન પહોંચાડ્યુ હતુ.