અમદાવાદના થલતેજ, જજીસ બંગ્લો વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના પણ વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ક્યાં અનુભવાયા આંચકા
બનાસકાંઠાના પાલનપુર, ડીસા, દાંતા સહિત અન્ય તાલુકાના કેટલાક વિસ્તારમાં તો હિંમતનગર, ઇડર, તલોદ અને ખેડબહ્મામાં તથા અંબાજીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.
Institute of Seismological Research (ISR): An earthquake of magnitude 4.0 struck Palanpur, Banaskantha (Gujarat) at 10:31 PM today.
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં 4 સેકન્ડ સુધી અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ભયથી ઘરની બહાર દોડી આવ્યા. ઉલ્લેખનીય છે કે, ભૂંકપના આંચકા 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અચાનક આવેલ આંચકાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ અમદાવાદના થલતેજ, જજીસ બંગ્લો વિસ્તારમાં પણ આંચકા અનુભવાયા હતા.
ક્યાં નોંધાયું કેન્દ્ર બિંદુ
આપને જણાવી દઇએ કે, 10.31 મિનીટે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આંચકો પાલનપુરથી 31 કીમી નોર્થ ઈસ્ટ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. આંચકો 4 ની તિવ્રતાનો હોવાથી કેટલાક લોકોને તેનો અહેસાસ થતાં જ તેઓ રસ્તા પર દોડી આવ્યા હતા.
2001માં આવેલ ભૂકંપે કેટલાયનો લીધો છે ભોગ
આ પહેલા 2001માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી ત્યારે આજે ફરી એકવાર 2 આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.