પેશાબ કરતી વખતે ભારે દુ:ખાવો કે બળતરા થતી હોય તો તે સમસ્યાને 'ડિસુરિયા' કહેવાય છે. જેને બિલકુલ પણ હળવાશમાં ના લેતા.
પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી સમસ્યા અનેક રોગોનો સંકેત આપે છે
પેશાબ દરમિયાન જે સમસ્યા થાય છે તેને 'ડિસુરિયા' કહેવામાં આવે છે
જાણો શું છે પેશાબમાં દુ:ખાવો થવાના કારણો?
તમે જોયું હશે કે ઘણાં લોકો એવાં હશે કે જેઓએ યુરિન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય. ત્યારે એવાં ઘણાં લોકો છે કે જેઓને પેશાબ કરતી વખતે દુ:ખાવો તથા બળતરા અનુભવાતી હોય. ત્યારે પેશાબ કરતી વખતે આવી કેટલીક સમસ્યાઓ તમને અનેક રોગોનો સંકેત આપે છે.
આવી સ્થિતિમાં, પેશાબ દરમિયાન જે સમસ્યા થાય છે તેને 'ડિસુરિયા' કહેવામાં આવે છે. પેશાબ કરતી વખતે મુખ્યત્વે પ્રાઇવેટ પાર્ટ અને પેશાબની નળીઓમાં અસહ્ય દુ:ખાવો અનુભવાય છે. મૂત્રાશયમાંથી બહાર આવ્યાં બાદ જે પાઈપ દ્વારા પેશાબ શરીરમાંથી બહાર નીકળે છે તેને પેશાબની નળી એટલે કે મૂત્રમાર્ગ કહેવાય છે. ડિસુરિયાના મુખ્ય કારણોમાંનું એક મુખ્ય કારણ યુરિન ટ્રૈક્ટ ઇન્ફેક્શન છે. આ સમસ્યાના કારણે વ્યક્તિને પેશાબ કરતી વખતે ભારે દુ:ખાવો અને બળતરા થાય છે.
જાણો શું છે ડિસુરિયાના લક્ષણો?
ડિસુરિયાના કારણે વ્યક્તિને પેશાબ કરતી વખતે દુ:ખાવો, બળતરા, ખંજવાળ આવતી હોય છે. આ સમસ્યા પેશાબ કરતા પહેલાં, પેશાબ દરમિયાન અને પછી પણ થઈ શકે છે. જે લોકોને પેશાબની શરૂઆતમાં દુ:ખાવો થાય છે તેઓને ઘણી વાર યુરિનરી ટ્રૈક્ટ ઇન્ફેક્શનની સમસ્યા હોય છે. પેશાબ કર્યા બાદ થનારી સમસ્યાઓ વારંવાર મૂત્રાશય અથવા તો પ્રોસ્ટેટની સમસ્યાઓ તરફ સંકેત કરતી હોય છે. આથી, જો તમે પણ પેશાબ કરતી વખતે આ સમસ્યાઓનો સામનો કરો છો તો તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે. ત્યારે જુઓ કે, આ સમસ્યાઓ કંઇક આ પ્રકારની હોય છે....
જો તમે ગર્ભાવસ્થા દરમિયાન પણ પેશાબ કરતી વખતે બળતરા અનુભવો છો અને આ સમસ્યા 24 કલાકથી વધુ સમય સુધી શરૂ રહે છે તો તમારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પેશાબ કરતી વખતે થતા દુ:ખાવાના છે અનેક કારણો
પ્રાઈવેટ પાર્ટમાં કેટલાંક કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી આ સમસ્યા થઈ શકે છે. જેમ કે - સ્કિન લોશન, બબલ બાથ કેમિકલ્સ અને સાબુ વગેરે...
પેશાબ કરતી વખતે પીડા અનુભવવાના અન્ય કારણો આ પણ છે....
એ માટે ડૉક્ટર તમારું યુરિન ટેસ્ટ પણ કરી શકે છે. દુ:ખાવાના મૂળનું કારણ શોધવા માટે પેશાબમાં શ્વેત રક્તકણો, લાલ રક્તકણો, પ્રોટીન, ગ્લુકોઝ અને રસાયણોની માત્રા શોધવામાં આવે છે. પેશાબમાં શ્વેત રક્તકણો વધુ હોવા પર તે યુરિનરી ટ્રૈક્ટ ઇન્ફેક્શન તરફ ઇશારો કરે છે.
આ સિવાય ડૉક્ટર તમને યુરિન કલ્ચર ટેસ્ટ માટે પણ કહી શકે છે, જેથી એ બાબત અંગે જાણી શકાય કે કયા બેક્ટેરિયાના કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઇ રહ્યું છે. આ ટેસ્ટ દ્વારા પણ તમે પેશાબ કરતી વખતે દુ:ખાવાનું કારણ શોધી શકો છો.
પેશાબ જતી વખતે થતા દુ:ખાવાની સારવાર કરવા માટે તેના સાચા કારણો વિશે જાણ થવી ખાસ જરૂરી છે. યુરિનરી ટ્રૈક્ટ ઇન્ફેક્શનને એન્ટીબાયોટીક્સની મદદથી ઠીક કરી શકાય છે અને થોડાં જ દિવસોમાં ડિસુરિયા તેની જાતે જ ઠીક થઈ જાય છે. જો તમારે બળતરાના કારણે સોજાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેની માટે ડૉક્ટર તમને એવી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપશે કે જેનાથી આ સમસ્યા થઈ રહી છે. એ સિવાય યીસ્ટ ઈન્ફેક્શનની સમસ્યા થવા પર ડૉક્ટર તમને એન્ટીફંગલ દવા લેવાની સલાહ આપી શકે છે.