ગુજરાતમાં પાણીની સ્થિતિ અતિ ગંભીર બની છે. નર્મદાને બાદ કરતા મોટા ભાગના ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટીમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. ચરોતરને બાદ કરતા ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની છે.
ત્યારે રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને સરકારે નિવેદન આપ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પાણીની સ્થિતિ અંગે વાત કરી હતી.
DyCM નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં ગરમીમાં લોકોને પુરતું પાણી પહોંચાડવું સરકારની ફરજ છે. ઉનાળામાં જનતાને પીવાનું પાણી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યાં છીએ. દરરોજનું 375 કરોડ લીટર પાણી પુરૂ પડાય છે. ગત વર્ષની સરખામણીએ 50 કરોડ લીટર પાણી વધુ અપાઇ રહ્યું છે. દ.ગુજરાતમાં ઉકાઇ ડેમમાં પાણી પહોંચાડાઇ રહ્યું છે. 8911 ગામ, 165 શહેરોમાં નર્મદા યોજનાનું પાણી પહોંચાડાઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષ ઓછો વરસાદ થયો છે. રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડી શકાય તેવી સ્થિતિ નથી. આ વર્ષે ઓછો વરસાદના કારણે પાણીનો જથ્થો ઓછો છે. સૌની યોજના, નર્મદા યોજના પાઇપલાઇન મારફતે પાણી પહોંચાવામાં આવે છે. સૌની યોજના અને નર્મદા યોજનાના પાણી પહોચાડીયે છીએ.
DyCM નીતિન પટેલનું નિવેદન
પોરબંદર અને કચ્છ જિલ્લામાં પિવાના પાણી વધુ પહોંચાડાઇ રહ્યું છે
નર્મદા વિભાગ, સિંચાઇ વિભાગ અને પુરવઠા વિભાગ સહયોગથી કામ કરી રહ્યાં છે
પોરબંદરના ફોદાળા ડેમ માં પણ નહિવત છે
પુરવઠા વિભાગે 120 કરોડના ખર્ચે 160 કિમીની પાઇપલાઇન નાખી છે
ઉપલેટાથી રાણાવાવ સુધી પાઇપ લાઈનનું કામ પૂર્ણ
2-3 દિવસમાં પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે
પોરબંદર શહેરને 2 કરોડ લિટર પાણી આપવામાં આવશે
કચ્છમાં દરરોજ 27 કરોડ લીટર પાણી પહોંચાડાતુ હતુ
કચ્છ માટે નર્મદાનું વધારાનું પાણી છોડાયું છે
હાલમાં 32 કરોડ લીટર પાણી આપવામાં આવી રહ્યું છે
કચ્છના ટપર ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવે છે
ભુજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારમાં પાઇપ લાઈનથી પાણી અપાયું છે
હાલમાં આ વિસ્તારોમાં 13 કરોડ લીટર પાણી અપાઇ રહ્યું છે
ભાવનગરમાં નર્મદાનું પાણી પંપીગ કરી પહોંચાડાય છે
ગઢડામાં પંપીગ સ્ટેશનમાં પંપ વધારવામાં આવ્યા
ગઢડાથી આગળના વિસ્તારમાં વધારે પાણી પહોંચાડાઇ રહ્યું છે
અમરેલી જિલ્લામાં ચાવન ખાતે 5 કરોડ લીટર પાણીની કેપેસીટી વધારી 6 કરોડ લીટર કરાયું
સૌરાષ્ટ્રમાં કુલ 190 કરોડ લીટર પાણી રોજે પુરૂ પડાય છે
નર્મદાનું 375 કરોડ લીટર પાણી રોજે જનતાને પુરૂ પાડવામાં આવે છે