ગુજરાતમાં દ્વારકાના ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામાં નહાવા પડેલા 3 બાળકો ડુબવા લાગતા બચાવવા ગયેલ વ્યક્તિ સહિત ચારેય લોકોના ડુબી જવાથી મોત થયા છે. એક જ પરિવારના ચાર લોકોના મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
દ્વારકામાં ખાડામાં ન્હાવા જતાં 4 લોકોના મૃત્યુ
ખંભાળિયા પાસે ખાણના ખાડામાં લોકો ડૂબ્યા
વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ન્હાવા ગયા હતા
દ્વારકામાં ખાડામાં ન્હાવા જતાં 4 લોકોના મૃત્યુ થયા છે. ખંભાળિયા પાસે ખાણના ખાડામાં ડૂબ્યા હતા. વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ન્હાવા ગયા હતા. ત્યારે ખાડામાં ડૂબવાથી 3 બાળકો અને એક આધેડનું મૃત્યુ થયું છે. ફાયરની ટીમ દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાં વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 25, 2020
પ્રાપ્ત થતી વિગત અનુસાર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. 3 બાળકો તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય બાળકો ડુબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.