વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનને સવારે તાજા ચઢાવેલા ફૂલ સાંજે હટાવી લેવા જોઈએ નહીંતર ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જાણો વિગતવાર
વાસ્તુ અનુસાર, સૂકા કે ખરાબ ફૂલો અશુભ ફળો આપે છે
આમ કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે
સાંજે મંદિરમાંથી ફૂલો હટાવી લેવા જોઈએ
વાસ્તુ અનુસાર, સૂકા કે ખરાબ ફૂલો અશુભ ફળો આપે છે
વાસ્તુ શાસ્ત્રમાં જીવનશૈલીને લઈને દરેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્યા પ્રકારે કઈ દિશામાં કઈ વસ્તુ મુકવાથી કેવા લાભ થશે કે ગેરલાભ થશે, બધી જ બાબતો વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારથી જાણવા મળે છે. આમ ભગવાનની પૂજા પાઠને લઈને પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, ખાસ કરીને પૂજા કે આરતીમાં વપરાતી સામગ્રી ક્યા પ્રકારે ઉપયોગમાં લેવી જોઈએ, તે વિસ્તારથી જાણવા મળે છે.
ઘરમાંનકારાત્મક ઉર્જા આવે છે
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશું મંદિરમાં રાખેલા ફૂલો વિષે. ફૂલો ભગવાનને અત્યંત પ્રિય હોય છે, ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફૂલો ચઢાવવા જ જોઈએ. સવારનાં સમયે ભોગની સાથે સાથે ભગવાનને તાજા ફૂલ ચઢાવવા જોઈએ, પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકો મંદિરમાં ફૂલ તો ચઢાવે છે, પણ તેને હટાવવાનું ભૂલી જાય છે.
સાંજે મંદિરમાંથી ફૂલો હટાવી લેવા જોઈએ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરમાં સવારનાં સમયે ચઢાવેલા ફૂલોને સાંજ થયા બાદ હટાવી લેવા જોઈએ, કેમકે સાંજ સુધી તે સૂકાઈ જાય છે, જે દેખાવમાં તો ખરાબ થઇ જ જાય છે, સાથે જ સાંજ સુધીમાં તેની સુગંધ પણ ચાલી જાય છે. વાસ્તુની દ્રષ્ટિએ સૂકા કે ખરાબ ફૂલ રાખવાને શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને તણાવનું વાતાવરણ રહે છે. સૂકા ફૂલોને જોતા જ ગુસ્સો આવવા લાગે છે. એટલા માટે સાંજ પડતા જ મંદિરમાંથી ફૂલોને હટાવી લેવા જોઈએ.