પૂર્વ ક્રિકેટર કૃષ્ણામચારી શ્રીકાંતે રાજકોટ T20 ઇન્ટરનેશનલ માટે શિખર ધવન પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ''ખરાબ ફોર્મમાં રમી રહેલા ઑપનર શિખર ધવનને ટીમની બહાર કરવો જોઇએ અને કે.એલ.રાહુલને ઑપનિંગ સ્લોટમાં રમાડવો જોઇએ.'' આ સિવાય તેમણે કહ્યુ કે, જો T20 વર્લ્ડ કપ તમારા માઇન્ટમાં છે તો આ પ્રયોગ કરવા પડશે.
પૂર્વ ક્રિકેટર કૃષ્ણામચારી શ્રીકાંત ઑપનર શિખર ધવનની બેટિંગથી નિરાશ છે
T20 માં શિખર ધવનને ડ્રોપ કરીને કે.એલ.રાહુલને ઑપનિંગ કરાવવા માટે કહ્યુ
આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ચોથા નંબર પર જ રમાડવાની વાત કરી
શિખર ધવનની 42 બૉલમાં 41 રનની સ્લો ઇનિંગ વિશે વાત કરતા કહ્યુ, ''ટીમ મેનેજમેન્ટને કોમ્બિનેશન જોવા પડશે. ગત થોડા સમયમાં ટીમ ઇન્ડિયા પાવરપ્લેમાં આશા અનુસાર, રન બનાવવામાં નિષ્ફળ રહી છે.''
પોતાના સમયમાં દિગ્ગજ ક્રિકેટર રહેલા શ્રીકાંતે શિખર ધવનની બેટિંગના દ્રષ્ટિકોણ પર કહ્યુ કે, ''મને તેના બેટિંગ દ્રષ્ટિકોણથી ચોંકાવી દે છે. સીનિયર મેમ્બર હોવા છતાં હાલમાં ગ્રાઉન્ડમાં પોતાનો સ્વાભાવિક રમત નથી રમી રહ્યો. ઑપનિંગમાં રોહિતની સાથે આક્રમક બેટ્સમેન હોવો જોઇએ, જે પ્વારપ્લેનો ફાયદો ઉઠાવી શકે.''
રિષભ પંતને લઇને કહ્યુ કે, ''જ્યારે વિરાટ કોહલી બહાર છે તો હું રિષભ પંતને ચોથા નંબર પર રમાડવો જોઇએ. વાસ્તવમાં ટૉપ 4 ફોર્મૂલાને બ્રેક કરો અને T20 જીતો. જો એક વખત ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડરને ઠીક કરવામાં આવશે તો મને લાગે છે કે આ વર્લ્ડકપમાં સારું થશે.''
પોતાના ક્રિકેટનું ઉદાહરણ આપતા કહ્યુ કે, ''મારા સમયમાં કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર મને હંમેશા સપોર્ટ કરતા હતા અને રમવા માટે છૂટ આપતા હતા. મારા મતે સાહા ઠીક છે, પરંતુ વાઇટ બૉલ માટે પંતને મૌકો મળવો જોઇએ અને સપોર્ટની જરૂર છે. ધોનીની સાથે સરખામણી ના થવી જોઇએ.''