ચા પીવી એક નશો છે, કેટલાંક લોકોને દિવસમાં એક કપથી વધુ ચા જોઈએ છે. તો ઘણા લોકો એવા હોય છે, જે બેડ-ટી કલ્ચરમાં રમી ચૂક્યા છે. એટલેકે તેઓને સવારે ઉઠતી વખતે ખાલી પેટ ચા પીવી હોય છે. જે આખા દિવસ માટે પૂરતી હોય છે.
સવારે ઉઠતી વખતે ખાલી પેટે ચા પીતા હોય તો આજથી બંધ કરી દેજો
ખાલી પેટે ચા પીવાથી તમારા મૂડમાં આવી શકે છે ચીડિયાપણુ
ખાલી પેટે ચા પીવાથી તમારૂ પાચન તંત્ર પણ બગડશે
ખાલી પેટે ચા પીવાથી તમારા આરોગ્ય પર થશે અસર
શહેર હોય કે ગામ, ઘર-ઘરમાં ખાલી પેટે ચા પીવાનું ચલણ વધી રહ્યું છે. આમ, જોવા જઇએ તો ચા વગર આપણી દરેક વાત અધૂરી રહે છે. પછી કોઈ મહેમાન આવે કે અથવા આપણે કોઈની સાથે બેસીને વાતચીત-ચર્ચા કરીએ ત્યાં ચા એક માધ્યમનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી પેટે ચા પીવાથી તેની આરોગ્ય પર શું અસર થાય છે?
થાક અને ચીડિયાપણુ
જો તમે પણ આવુ માનો છો કે સવારે ખાલી પેટ ચા પીવાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે, આ તમારી એક ગેરસમજ છે. આવુ કરવાથી આખો દિવસ તમે થાકી જાઓ છો. તો તમારા મૂડમાં પણ તેનાથી ચીડિયાપણુ આવી શકે છે. તેથી આ મુશ્કેલીથી બચવા માટે સવારે ખાલી પેટે ચાનું સેવન ના કરશો.
ઉબકા અને ગભરામણની સમસ્યા
સવારે-સવારે ખાલી પેટે ચા પીવાથી તમને ઉબકા અને ગભરામણની સમસ્યા પણ થઇ શકે છે. કારણકે તેનાથી પેટમાં પિત્ત-વાયુને બનાવવા અને તેની કામ કરવાની પ્રક્રિયા પર અસર પડે છે. તેથી આ સમસ્યાઓથી બચવા માટે સવારે ખાલી પેટ ચા પીવાનું બંધ કરી દો.
પાચન તંત્રની સમસ્યાઓ
ખાલી પેટે ચા પીવાથી આપણા પેટમાં ઉભા થતાં સારા બેકટેરીયાને નુકસાન પહોંચાડે છે. આપણુ આરોગ્ય અને ખાસ કરીને પાચન તંત્રને બગાડવામાં આ બેકટેરિયાની મહત્વની ભૂમિકા હોય છે. તેથી આપણા પાચન તંત્રને સારું રાખવા માટે ખાલી પેટે ચાનું સેવન ના કરવુ જોઈએ.
વધારે યુરિન આવવાની સમસ્યા
સવારે ખાલી પેટે ચા પીવાથી વધુ યુરિન આવવાની મુશ્કેલી પણ થાય છે. કારણકે ચામાં ડાઈયુરેટિક તત્વ હોય છે. જે મૂત્રનિર્માણની પ્રક્રિયામાં ગતિ લાવે છે. જેનાથી શરીરમાં પાણીની અછત અને ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે.