સવારે કામ હોવા છતાં જો નિંદર ન ઊડે અને સૂતું રહેવાનું મન થાય તો એ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે તે કોઈ મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.
લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે એ લોકોએ ચેતી જવું જોઈએ
નિંદર ન ઊડે અને સૂતું રહેવાનું મન થાય તો તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય
શું હોય શકે છે બીમારી અને તેના કેવા હોય છે લક્ષણો
ઊંઘવું કોને પસંદ નથી? એવા ઘણા ઓછા લોકો હશે જે એમ કહેશે કે તેમને ઊંઘવું પસંદ નથી. એવામાં પણ સવારની નિંદર દરેક લોકોને મીઠી લાગે છે. આરામથી મોડે સુધી સૂવું લગભગ બધાને પસંદ હશે પણ કામ, ઓફિસ અને સ્કૂલ-કોલેજને કારણે દરેક લોકોએ સવારે ઉઠી જવું પડતું હોય છે. પણ ઘણા એવા લોકો હોય છે જેમને સવારે ઊઠવું બિલકુલ પસંદ નથી આવતું અને એ લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે. એવામાં એ લોકોએ તેમના સ્વાસ્થ્યને લઈને સાવધાન થઈ જવું જોઈએ.
સવારે કામ હોવા છતાં જો નિંદર ન ઊડે અને સૂતું રહેવાનું મન થાય તો તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય શકે છે અને એમાંથી એક છે નબળાઈ. સવારે ઉઠવાની એ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે તે કોઈ મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.
શું હોય શકે છે બીમારી અને તેના કેવા હોય છે લક્ષણો
માથાનો દુ:ખાવો
જો સવારે ઉઠતા સમયે તમને માથાનો દુખાવો થતો હોય તો તે પરેશાનીનું કારણ બની શકે છે. જો આ માથાના દુખાવાની સમસ્યા નિયમિતપણે થતી હોય તો તે બ્રેઈન ટ્યુમરની નિશાની હોઈ શકે છે. સવારે ઉઠતી વખતે માથાનો દુખાવો એ સ્લીપ એનિમિયાનું લક્ષણ પણ હોય શકે છે.
સાંધાનો દુખાવો
જો સવારે ઉઠ્યા પછી તમને થોડા સમય માટે સાંધામાં દુખાવો થતો હોય કે હાથ પગ જકડાઈ જતાં હોય છે તો તેનું કારણ કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. સાંધામાં દુખાવો અને જડતા એ પણ સંધિવાના રોગની પણ નિશાની હોય શકે છે.
શરીરમાં સોજો આવવો
સવારે ઉઠતી વખતે ચહેરા પર સોજા આવી જાય છે તો તેની પાછળનું કારણ સોડિયમની વધુ માત્રા પણ હોય શકે છે. આ સોજો સાઇનસની સમસ્યાને કારણે પણ આવી શકે છે.
થાક લાગવો
જો પૂરતો આરામ કર્યા પછી પણ સવારે ઉઠતાં સમયે થાક અને નબળાઈની મહેસુસ થાય છે તો તે થાઈરોઈડ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈપોગ્લાયસીમિયાની નિશાની હોઈ શકે છે.
કેવી રીતે કરવો બચાવ
- આ લક્ષણોની લાંબા સમય સુધી ધ્યાનમાં ન લેવા એ કોઈ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. જો સવારે ઊઠીને તમને આમાંથી કોઈ પણ સમસ્યા થતી હોય તો એવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે જ આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચારની મદદ પણ લઈ શકાય છે.
- સાંધાના દુખાવાને ઓછો કરવા માટે કેલ્શિયમથી ભરપૂર માછલી, બદામ, ડેરી ઉત્પાદનો અને પાલક જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ સિવાય આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ સવારે સ્ટ્રેચિંગ પણ કરી શકો છો.
- શરીરમાં આવી જતાં સોજાની સમસ્યાને દૂર કરવા માટે વધુ પડતી પેક્ડ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.