દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેની સાથે સાથે ઓમિક્રોન વેરિએંટને લઈને પણ લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ડૉક્ટરો દ્વારા ઓમિક્રોન વેરિએન્ટના 5 ભયાનક લક્ષણો જણાવામાં આવ્યા છે. જેથી લોકો સચેત રહે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,17,000 કેસ નોંધાયા
ઓમિક્રોન વેરિએંટને લઈ લોકોમાં ભયનો માહોલ
ડોક્ટરોએ જાહેર કર્યા ઓમિક્રોનના 5 લક્ષણો
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 1 લાખ 17 હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 28 ટકા વઘારે કેસ નોંધાયા છે. પરંતુ આ બધાની વચ્ચે ઓમિક્રોન વેરિએંટ એક બીજો ચિંતાનો વિષય બન્યો છે. કારણકે અત્યાર સુધી ઓમિક્રોનના 3007 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.
શું છે ઓમિક્રોનના લક્ષણો ?
શ્વાસ લેવામાં તકલીફ થવી
ઓક્સિજન લેવલ મોટા પ્રમાણમાં ઘટી જવું
છાતીમાં દુખાવો અને દબાણનો અનુભવ થવો
માનસીક રીતે હેરાન થઈ કોઈને પ્રતિક્રિયા ન આપવી
3 4 દિવસ પછી લક્ષણો વધતા જવા
ઓમિક્રોન વેરિએંટને લઈને એક્સપર્ટ દ્વારા મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે. જેમા એક્સપર્ટોનું કહેવું છે કે સ્કીન, હોઠ અને નખનો રંગ બદલાય તો પણ એલર્ટ થવું જરૂરી છે. કારણકે આ લક્ષણો પણ ઓમિક્રોનના હોઈ શકે છે તેવું એક્સપર્ટોનું માનવું છે.
સંક્રમિતના સંપર્કમાં આવ્યા બાદ ટેસ્ટ કરાવો
એકસપર્ટોના કહેવા પ્રમાણે જો તમે કોઈ સંક્રમિતના સંપર્કમાં આવો છો અને 5 દિવસ પછી જો તમને લક્ષણો દેખાય તો તમારે તુરંત ટેસ્ટ કરાવવો જોઈએ જો કોઈને લક્ષણ દેખાય તો તેણે પહેલા ક્વોરન્ટિન પણ થવું જોઈએ. જ્યા સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યા સુધી તેણે કોઈને મળવું પણ ન જોઈએ.
વેક્સિન લીધી હોય તો પણ આઈસોલેટ થવું જરૂરી
ઉલ્લેખનીય છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી અને તે લોકો કોઈ કોરોના પોઝિટીવના સંપર્કમા આવ્યા છે. તો તેમણે તુરંત પોતાને ક્વોરન્ટીન કરી લેવા જોઈએ. બાદમાં થોડા દિવસ જોવું જોઈએ કે તેમનામાં લક્ષણો છે કે નથી. સાથેજ જે લોકો પોઝિટીવ થયા છે તેમણે ભલે વેક્સિન લીધી હોય પરંતું તેમણે આઈસોલેટ થવું ઘણું જરૂરી છે.