દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં સાડા આઠ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાવાયરસના સંક્રમણે હવે દેશમાં ગતિ પકડી લીધી છે. દરરોજ સરેરાશ, 10,000 થી વધુ નવા કેસો બહાર આવે છે. જો કે, ડોકટરો કહે છે કે આ ફક્ત શરૂઆત છે અને આગળના દિવસો વધુ મુશ્કેલ ભર્યાં હોઈ શકે છે. ઘણા સંશોધન અને અધ્યયનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જુલાઈ અને ઓગસ્ટમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઈ શકે છે.
કોરોનાથી લડવા માટે તૈયાર રહીએ
આ દરમિયાન ન્યૂઝ એજન્સી FP સાથે વાતચીત કરતા દિલ્હીની મેક્સ હોસ્પિટલના ડૉ. દેવન જુનેજાએ કહ્યું કે, દરેક વ્યક્તિએ કોરોનાના મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું, 'કોરોના ક્યારે સૌથી ટોચ પર પહોંચશે તે ક્ષણને લઇને અમે કહી શકતા નથી.
આપણે બધા શ્રેષ્ઠની માનસિક અને શારિરીક રીતે આશા રાખી રહ્યા છીએ અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ. ડો. જુનેજાના જણાવ્યા મુજબ હાલના સમયમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે અને પથારીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, તેમના પર દબાણ વધ્યું છે, પરંતુ મુશ્કેલ સમયમાં, તેઓ એકબીજાને પ્રોત્સાહિત કરે છે.
અમને પણ ડર લાગે છે..
દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં એમ્યુલેંસમાં સતત કોરોનાના દર્દીઓ લાવવામાં આવી રહ્યાં છે. અહી 20 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખી દેવામાં આવ્યાં છે. જો કે અહીં કામ કરેલી રહેલા મેડીકલ સ્ટાફ દ્વારા જણાવામાં આવી રહ્યું છે કે અમને પણ થોડો ડર લાગી રહ્યો છે, કારણ કે એ ખબર નથી કે કોરાના વાયરસ તેમની ઉપર ક્યાંથી અને ક્યારે હુમલો કરી દે. તબીબો અને નર્સ માટે પીપીઇ કીટ પહેરીને કામ કરવું ઘણુ મુશ્કેલભર્યું કામ છે.