બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Do this small remedy anytime on Thursday there will be immense growth in wealth

ઉપાય / ગુરૂવારના દિવસે ગમે ત્યારે કરી લો આ એક નાનકડો ઉપાય, ધન-દોલતમાં થશે અપાર વૃદ્ધિ

Arohi

Last Updated: 02:28 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આવી સ્થિતિમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ખાસ પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

  • ભગવાન વિષ્ણુને સમર્પિત છે ગુરૂવાર 
  • ગુરૂવારે કરી લો આ નાનકડો ઉપાય 
  • પ્રાપ્ત થશે બૃહસ્પતિ અને વિષ્ણુની કૃપા

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું ખાસ વિધાન છે. 

આ દિવસે સાચા મન અને પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુ:ખનો નાશ થાય છે. આ દિવસે પૂજા કર્યા પછી માત્ર ભગવાનની આરતી અને મંત્રનો જાપ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

મંત્રોના જાપથી ઝડપથી પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુ 
જ્યોતિષમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મંત્રોના જાપથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આંતરિક શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મંત્રોના જાપ વિશેષ ફળદાયી હોવાનું કહેવાય છે. આવો જાણીએ ગુરુવારે ભગવાન વિષ્ણુના કયા ચમત્કારી મંત્રોનો જાપ કરવામાં આવે છે.

ગુરૂવારના દિવસે કરી લો આ મંત્રોનો જાપ 
શ્રી વિષ્ણુ મૂળ મંત્ર 

ॐ नमोः नारायणाय॥
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુના મૂળ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ મંત્રનો 21 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શ્રી વિષ્ણુ ભગવતે વાસુદેવાય મંત્ર 
ॐ नमोः भगवते वासुदेवाय
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના આ મંત્રનો ઓછામાં ઓછો 51 વાર જાપ કરવાથી લાભ થાય છે.

શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્ર 
ॐ श्री विष्णवे च विद्महे वासुदेवाय धीमहि
तन्नो विष्णुः प्रचोदयात्
શાસ્ત્રો અનુસાર શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 101 વખત જાપ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.

મંગળ શ્રી વિષ્ણુ મંત્ર 
मङ्गलम् भगवान विष्णुः, मङ्गलम् गरुणध्वजः
मङ्गलम् पुण्डरी काक्षः, मङ्गलाय तनो हरिः
આ મંત્રનો 12 વાર જાપ કરવાથી લાભ થાય છે. કહેવાય છે કે આ શ્રી હરિ ભગવાન વિષ્ણુનો મૂળ મંત્ર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ