જ્યોતિષ અનુસાર નવરાત્રિમાં કરેલા કેટલાક વિશેષ ઉપાયોથી મનગમતા જીવનસાથીની ઇચ્છા પણ પૂરી થઇ શકે છે. જો તમે પણ મનગમતો જીવનસાથી ઇચ્છતા હોવ તો આગળ જણાવેલા ઉપાય વિશ્વાસ અને શ્રદ્ઘાથી ની સાથે કરો.
મનગમતા વર માટે કરો આ ઉપાય:
નવરાત્રિમાં તમારા ઘરની નજીક આવેલા શિવ મંદિરમાં જાવ. ત્યાં ભગવાન શિવ તથા માતા પાર્વતી પર જળ અને દૂધ ચઢાવી પંચોપચાર (ચંદન પુષ્પ ધૂપ દીપ અને નેવૈદ્ય)થી તેમની પૂજા કરો. હવે નાડાછડીથી તે બંનેની વચ્ચે ગઠબંધન કરો. હવે ત્યાં બેસીને લાલ ચંદનની માળાથી આ મંત્રના 108 જાપ કરો.
हे गौरी शंकरार्धांगी। यथा त्वं शंकर प्रिया।
तथा मां कुरु कल्याणी कान्त कान्तां सुदुर्लभाम्।।
તેના પછી ત્રણ મહિના સુધી રોજ આ મંત્રના જાપ શિવ મંદિરમાં અથવા તમારા ઘરના પૂજા રૂમમાં માતા પાર્વતીની સામે 108 વખત જાપ કરો. ઘરે પણ તમારે પંચોપચાર પૂજા કરવાની છે.
મનગમતી દુલ્હન માટે ખાસ ઉપાય:
નવરાત્રિમાં કોઈ પણ દિવસ કોઈ શિવ મંદિરમાં જાવ. ત્યાં શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ અને શાકર ચઢાવતા તેને સરખી રીતે સાફ કરો. પછી શુદ્ધ જળ ચઢાવો અને આખા મંદિરમાં સાવરણી લગાવી તેને સાફ કરો. હવે ભગવાન શિવની ચંદન પુષ્પ તથા ધૂપ દીપ વગેરેથી પૂજા કરો.
રાતે 10 વાગ્યા પછી અગ્નિ પ્રગટાવી ઓમ નમઃ શિવાય મંત્રના ઉચ્ચારણ કરતા ઘીથી 108 આહુતિ આપો. હવે 40 દિવસ સુધી રોજ આ મંત્રની 5 માળા ભગવાન શિવની સામે બેસીને કરો. તેનાથી જલ્દી જ તમારી ઈચ્છા પૂર્ણ થવાના યોગ બની શકે છે.