દશેરાનું પર્વ આપણે રાવણનો રાજા રામે સંહાર કર્યો તેની યાદમાં ઉજવીએ છીએ. ત્યારે જો તમે પણ દશેરાના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા શત્રુ પર હંમેશા જીત મેળવશો.
દુશ્મનો પર જીત મેળવવા કરો આ કામ
રાશિ પ્રમાણે કામ કરવાથી તકલીફો દૂર થશે
દશેરા પર દુશ્મનો સામે વિજય મેળવો
મેષ
મેશ રાશિના જાતકોએ દશેરાના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી જોઇએ. સાથે જ તેમને દૂર્વા અને લાડુ અર્પિત કરવા જોઇએ.
વૃષભ
આ રાશિના જાતકોએ દશેરાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ. શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલા શિવજીની જ આરાધના કરી હતી.
મિથુન
આ રાશિના જાતકોએ દશેરાના દિવસે લાલ કપડામાં થોડો ગોળ બાંધીને જમીનની નીચે દબાવી દેવો જોઇએ, જેથી તેમની દરેક ઇચ્છા પૂર્ણ થશે.
કર્ક
આ રાશિના જાતકોએ પોતોના શત્રુઓ પર વિજય મેળવવા સિવાય પોતાની આર્થિક સ્થિતિ સારી કરવા દશેરાના દિવસે સાવરણી ખરીદવી જોઇએ તેનાથી જ ઘરની સાફ સફાઇ કરવી જોઇએ.
સિંહ
સિંહ રાશિના જાતકોએ દશેરાના દિવસે ગરીબ લોકોને ભોજન કરાવવું જોઇએ. તેમને ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાં કે કપડાં દાન કરવા જોઇએ.
કન્યા
કન્યા રાશિના લોકોએ દશેરા પર ભગવાન શ્રીરામને ગોળનો ભોગ લગાવી શત્રુ પર વિજય અને સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરવી જોઇએ.
તુલા
તુલા રાશિના જાતકોએ દશેરા પર હનુમાનજીની આરાધના કરવી જોઇએ. તેનાથી રામ અને હનુમાન બંનેની કૃપા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક
આ રાશિના જાતકોએ ગરીબોને દાન કરવું જોઇએ.
ધનું
આ રાશિના જાતકોએ ભગવાન ગણપતિને લાડુનો ભોગ લાગાવીને તેમની આરાધના કરવી જોઇએ.
મકર
આ રાશિના જાતકોએ ગરીબોને ભોજન કરાવવું જોઇએ જેથી તેમની સમગ્ર સમસ્યાનો અંત આવશે.
કુંભ
કુંભ રાશિના જાતકો દશેરા પર હનુમાનજીની આરાધના કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે.
મીન
આ રાશિના જાતકોએ ગરીબોને દાન કરવું જોઇએ. જેનાથી તેમની સમસ્યા પૂર્ણ થઇ જશે.