NRCમાં કથિત રૂપે ખોટા નામ જોડવા અને હટાવવાને લઇને બીજેપી દ્વારા કરવામાં આવેલી સમીક્ષાની માંગ વચ્ચે સરકારે હાલમાં જ સંકેત આપ્યા હતા કે તેના પર કાનૂન બનાવવાનો રસ્તો અપનાવી શકે છે. પરંતુ હવે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના લોકોએ એનઆરસી મુદ્દા પર ગભરાવાની જરૂર નથી.
એમણે કહ્યું કે 31 ઓગસ્ટે પ્રકાશિત થવા જઇ રહેલા અંતિમ એનઆરસીમાં જેના નામ નથી, એમને ગભરાવવાની જરૂર નથી. ડ્રાફ્ટ એનઆરસીમાં લગભગ 41 લાખ લોકોના નામ નોંધાયા નથી.
ગુવાહાટીમાં ગુરુવારે રાત્રે એક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે,''રાજ્ય તથા કેન્દ્ર સરકાર શક્ય તમામ કોશિશ કરી રહી છે. જેથી ભૂલો વિના એનઆરસીનું પ્રકાશન સુનિશ્ચિત થઇ શકે. અમે સુપ્રીમ કોર્ટનું પૂર્ણ આદર કરતા આખી પ્રક્રિયામાં સહયોગ કરી રહ્યા છીએ''.
એમણે કહ્યું કે, ''સુપ્રીમ કોર્ટ સ્વંય વર્ષ 2013થી એનઆરસી અપડેશનના કામ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે રાજ્યના લોકો અંતિમ એનઆરસીના પ્રકાશન બાદ એ રીતે જ સહયોગ આપતા રહેશે, જે રીતે એમણે ડ્રાફ્ટ એનઆરસીના પ્રકાશન બાદ આપ્યો હતો. અંતિમ એનઆરસીના પ્રકાશન બાદ તમામ સમુદાયો વચ્ચે એકતા, ભાઇચારો અને શાંતિ આ પ્રકારે જ બની રહેશે.''