સનાતન ધર્મમાં સ્વસ્તિકનુ નિશાન અને ચિન્હને ખૂબ શુભ માનવામાં આવ્યું છે. સુખ-સમૃદ્ધી મેળવવાથી લઇને દરેક કામમાં શુભ ફળ મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેને બનાવવામાં ભૂલ ના કરવી જોઈએ.
સ્વસ્તિકનુ નિશાન અને ચિન્હને મનાય છે શુભ
દરેક કામમાં શુભ ફળ મેળવવા માટે કરાય છે ઉપયોગ
સ્વસ્તિકના ચિન્હને બનાવતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન
સ્વસ્તિકના ઉપયોગથી જીવનમાં આવે છે સકારાત્મકતા
સ્વસ્તિકના ચિન્હને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ શુભ કામ, પૂજા-અનુષ્ઠાન વગેરે કરવામાં આવે ત્યારે સૌથી પહેલા સ્વસ્તિકનુ ચિન્હ બનાવવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હનો ઉપયોગ સકારાત્મકતા, એકાગ્રતા અને સુખ સમૃદ્ધી લાવે છે. આ સાથે આ કામમાં સફળતા અપાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં સ્વસ્તિકના નિશાનને ખૂબ તાકાતવર જણાવવામાં આવ્યું છે અને તેના ઉપયોગથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર હોવાની વાત કહેવામાં આવી છે.
સ્વસ્તિક બનાવવાના છે ઘણા ફાયદા
જો , સ્વસ્તિકના ચિન્હને સારી રીતે બનાવવામાં આવે તો ઘણા લાભ આપે છે. જેને બનાવવાથી આજુબાજુના માહોલમાં સકારાત્મકતા આવે છે. લોકોની એકાગ્રતા વધે છે. વાસ્તુ દોષ દૂર થાય છે. જીવનમાં સંપન્નતા આવે છે. ત્યાં સુધી કે તેમાં બિમારીઓ-તણાવથી દૂર રાખવાની પણ તાકાત હોય છે. તો સ્વસ્તિક બનાવવામાં કરવામાં આવેલી મોટી ભૂલ મોટી મુશ્કેલી લાવી શકે છે. તેથી તેને બનાવતી વખતે અમુક બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
સ્વસ્તિક બનાવવુ અને પ્રયોગ કરવામાં ધ્યાનમાં રાખો આ વાત
હંમેશા ધ્યાન રાખો કે સ્વસ્તિક સીધુ બનાવો. ઉલ્ટામાં સ્વસ્તિક બનાવવુ વધારે ભારે પડી શકે છે. આ જીવનમાં અનેક મુશ્કેલીઓ લાવી શકે છે.
સ્વસ્તિક સીધુ બનાવવાની સાથે-સાથે તેની રેખાઓ અને કોણ યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ. જેનુ મોટુ-નાનુ હોવુ સારું માનવામાં આવતુ નથી.
સ્વસ્તિકનુ શુભ પ્રતિક લાલ, પીળા અને વાદળી રંગથી જ બનવુ જોઈએ. જેમાં લાલ અને પીળો રંગ સૌથી શુભ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ અન્ય રંગથી બનાવવામાં આવેલુ સ્વસ્તિક અશુભ ફળ આપે છે.