હિન્દુ ધર્મમાં અઠવાડિયામાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈ પણ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવે છે. આ સાથે આ દિવસને લઇને કેટલાંક નિયમ પણ જણાવવામાં આવ્યાં છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તેની કૃપાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.
શુક્રવારે માત્ર આ નિયમોનું કરો પાલન તો દેવી લક્ષ્મી થશે પ્રસન્ન
શુક્રવારે આ કામ ના કરવા જોઈએ, નહીંતર જીવનમાં આવશે વિપદા
કરો માં લક્ષ્મીની પૂજા
આ સાથે ઘર-પરિવાર, વેપારમાં સુખ-સમૃદ્ધી બને છે. શુક્રવારની વાત કરીએ તો ધનની દેવી માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માં લક્ષ્મીની શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે. જ્યારે બીજી તરફ કેટલાંક નિયમોનું પાલન કરવાથી હંમેશા પોતાના ભક્તો પર પ્રસન્ન રહે છે.
શુક્રવારે ના કરો આ કામ
શુક્રવાર માટે ધર્મ-શાસ્ત્રો અને જ્યોતિષમાં જે જરૂરી નિયમ જણાવવામાં આવ્યાં છે. તે મુજબ ધન સાથે સંબંધિત કેટલાંક કામોને લઇને ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ સિવાય પણ અમુક અન્ય વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.
શાસ્ત્રો અને જ્યોતિષ મુજબ, શુક્રવારે કોઈને પણ ખાંડ ના આપવી જોઈએ. શુક્રવારે કોઈને ખાંડ ખવડાવવાથી શુક્ર ગ્રહ નબળો પડતા અશુભ ફળ આપે છે. જો કે આ દિવસે માં લક્ષ્મીને સફેદ મિઠાઈઓ (દૂધથી બનાવેલી મિઠાઈઓ અથવા ખીર)નો પ્રસાદ ધરાવીને લોકોને અર્પણ કરવાથી હંમેશા ઘરમાં સુખ-સમૃદ્ધી રહે છે.
આમ તો ઘરમાં કોઈ પણ દિવસ ગંદકી અને કચરો ભેગો ના કરવો જોઈએ. પરંતુ શુક્રવારના દિવસે ઘરે ગંદકી રાખવાથી ખૂબ જ અશુભ થાય છે. આ દિવસે ઘરને સાફ કરી જાતે નાહી ધોઈને અને સ્વચ્છ કપડા પહેરીને માં લક્ષ્મીની પૂજા કરવાથી માતા ખૂબ મહેરબાન રહે છે.
શુક્રવારે કોઈની પાસેથી ઉધાર નાણા ના લેવા જોઈએ અને ના આપવા જોઈએ. આ દિવસે ઉધાર રૂપિયાની લેવડ-દેવડ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને તેનાથી દરિદ્રતા આવે છે.
આમ તો મહિલાઓ, કન્યાઓ અને કિન્નરોનું ક્યારેય પણ અપમાન ના કરવુ જોઈએ. પરંતુ શુક્રવારના દિવસે કોઈ પણ મહિલાનું અપમાન કરવાથી જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આવુ કરવાથી ઘરના રૂપિયા કારણ વગર બરબાદ થાય છે.