શિયાળામાં નાની મોટી તકલીફો સામે આંખ આડા કાન કરવાથી એલર્જીનું કારણ બની શકે છે. જેથી આ સીઝનમાં એલર્જીની કોઈપણ પ્રોબ્લેમને એવોઇડ કરવાની ભૂલ ન કરતાં.
શિયાળામાં નાની મોટી તકલીફો પર આપો ધ્યાન
આ સીઝનમાં એલર્જીની કોઈપણ પ્રોબ્લેમને એવોઇડ ન કરતા
બહુ જ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એલર્જીની સમસ્યા
શિયાળાના કૂમળા તાપમાં રહ્યાં બાદ અચાનક ચહેરા પર સોજો આવી જાય કે આંખમાં પાણી આવવા લાગે તો આવી સમસ્યાઓ તરફ આપણે મોટે ભાગે બેદરકાર રહેતા હોઇએ છીએ. આ બેદરકારીને લીધે એલર્જીનો ભોગ બની જવાય છે. ડોક્ટર્સની પાસે જનારા દર્દીઓમાં આવી સમસ્યાઓ વધતી જાય છે. આવા દર્દીઓને ડોક્ટર્સ એલર્જીનું કારણ જાણવા માટે એલર્જીનો ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. આ ઋતુમાં શહેરમાં લગભગ 70 ટકા લોકો નાની-મોટી એલર્જીની સમસ્યાથી પીડાય છે. તેમાં સ્કિન અને ફૂડ એલર્જીની તકલીફ સૌથી સામાન્ય છે. તો કેટલાક લોકો આંખ અને શ્વાસને લગતી તકલીફનો શિકાર બને છે.
એલર્જી એટલે શું?
ડોકટર્સ મુજબ એલર્જી શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાનું એક લક્ષણ છે. શારીરિક અને માનસિક એમ બંને કારણોસર એલર્જી થઇ શકે છે. ગમે તેવું આચર કુચર ખાવાથી તેનું રિએકશન આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી એલર્જી પેશન્ટ્સની સંખ્યા વધી રહી છે. તેનું કારણ પ્રદૂષણ છે. કયા કારણસર એલર્જી થઇ છે તે જાણી લેવાની જરૂર છે. મોટા ભાગની સમસ્યા ત્વચા અને ખાણીપીણી સાથે સંકળાયેલી હોય છે.
હવાથી પણ થઈ શકે છે એલર્જી
આજકાલ જે રીતે પોલ્યૂશન વધી ગયું છે. તે આપણી સ્કિન અને સ્વાસ્થ્ય બંને માટે ખરાબ છે. તેનાથી ગંભીર તકલીફો થવાની સાથે એલર્જી પણ વધી રહી છે. હવામાં રહેલો ભેજ અને પરાગ રજકણ એલર્જી થવા માટે ઘણાંઅંશે જવાબદાર છે.
તડકાની એલર્જી
શિયાળામાં વધારે સમય કૂણાં તડકો ખાવાથી ચહેરા પર બળતરા થાય છે અને બીજી કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. આ એલર્જીથી ચહેરા પર સોજો આવે છે અને રેશીઝની સમસ્યા વધી રહી છે.
એલર્જીથી બચવાના ઉપાય
એલર્જીનું કારણ જાણો. દૈનિક ભોજન અને ખાણી-પીણી પર વિશેષ ઘ્યાન આપો.
તાપમાનના ફેરફાર સામે પોતાનું રક્ષણ કરો. ખુલ્લી હવામાં વધારે ન ફરો. તમારી આસપાસ સ્વરછતા જાળવો.
એલર્જીનાં લક્ષણો સ્કિન લાલ થવી અને રેશીઝ થાય. આંખમાં બળતરા થવી. અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે. કોઇ પણ ચીજવસ્તુ ખાધા પછી પાચનની સમસ્યા ઊભી થાય. પાણીના સંપર્કમાં રહેવાથી તકલીફ થાય. વારંવાર આંખમાં બળતરા થાય કે ધણી વાર આંખમાંથી પાણી નીકળે તો તેને સામાન્ય બાબત ગણીને ઘ્યાન નથી આપતા પણ આ એલર્જીનું લક્ષણ પણ હોઇ શકે છે.
આ એલર્જી ખાસ કરીને વસંતઋતુમાં જોવા મળે છે. આ સમયે પરાગરજ હવામાં સૌથી વધારે ફેલાય છે. તે સીધી આંખને નુકસાન કરી શકે છે. જેથી બેદરકારી ન કરો.