કોંગ્રેસના સંકટમોચક કહેવામાં આવતા દિગ્ગજ નેતા ડી કે શિવકુમારને મની લોન્ડ્રિંગ મામલામાં દિલ્હી હાઇકોર્ટથી જામીન મળ્યા છે. એમને 25 ઓક્ટોબર સુધી કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આ સમયગાળો પૂર્ણ થયા બાદ તેમણે તિહાડ જેલથી બહાર આવી શકશે.
કોંગ્રેસના સંકટમોચક કહેવામાં આવતા દિગ્ગજ નેતા ડી કે શિવકુમારને મળ્યા જામીન
કોર્ટે 25 લાખના બોન્ડ પર ડી કે શિવકુમારને જામીન આપવાનો આદેશ આપ્યો
કોર્ટે 25 લાખના બોન્ડ પર એમને જામીન આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ટ્રાયલ કોર્ટે ડી કે શિવકુમારની જામીન અરજીને ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, ગુરુવારે સવારે જ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી તિહાડ જેલમાં તેમની મુલાકાત માટે પહોંચ્યા હતા. ડી કે શિવકુમાર હવાલા દ્વારા લેણદેણ અને ટેક્સ ચોરીના એક મામલામાં જેલમાં છે. તેમને ઇડીએ 3 સપ્ટેમ્બરે અરેસ્ટ કર્યા હતા.
કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી કે શિવકુમારને કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી એ સરકારને બનાવવાનું શ્રેય જાય છે, જે આ વર્ષે જુલાઇમાં પડી ગઇ હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇડીએ ડી કે શિવકુમાર, હનુમંથૈયા, કર્ણાટક ભવનના એક કર્મચારી અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
નોંધનીય છે કે, પૂર્વ નાણા મંત્રી અને સીનિયર કોંગ્રેસ લીડર પણ મની લોન્ડ્રિંગના એક મામલામાં તિહાડ જેલમાં બંધ છે. કેટલાક દિવસો પહેલા જ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ તેમની મુલાકાત માટે તિહાડ જેલ પહોંચ્યા હતા.