સંસદનું સભ્યપદ છીનવાઈ જતાં હવે રાહુલ ગાંધીને સરકારી બંગલો પણ ખાલી કરી દેવો પડશે કારણ કે તેમને લોકસભા હાઉસિંગ કમિટીએ બંગલો ખાલી કરવાની નોટીસ આપી દીધી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બીજો ઝટકો
હવે ખાલી કરી આપવો પડશે સરકારી બંગલો
લોકસભા સચિવાલાયે આપી બંગલો ખાલી કરવાની નોટીસ
રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધી બંગલા ખાલી કરી આપવો પડશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકારી બંગલો છોડવા માટે નોટિસ આપવામાં આવી હતી. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ આ નોટિસ લોકસભાના ગૃહ સમિતિ દ્વારા જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી 12 તુગલક લેન ધરાવતા સરકારી બંગલામાં રહે છે. રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. નોટિસ અનુસાર રાહુલ ગાંધીએ અયોગ્યતાના એક મહિનાની અંદર પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.
After being disqualified from the Lok Sabha, now the Lok Sabha Housing Committee has given notice to Congress leader Rahul Gandhi to vacate the government-allotted bungalow: Sources
સીઆર પાટીલની આગેવાનીવાળી લોકસભા હાઉસિંગ કમિટીનો નિર્ણય
રાહુલને સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ લોકસભા હાઉસિંગ કમિટીએ આપી છે. લોકસભા હાઉસિંગ કમિટીના ચેરમેન ગુજરાત ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ છે.
પહેલા સંસદ હવે બંગલામાંથી ગયા રાહુલ ગાંધી
સુરતની એક અદાલતે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 'મોદી અટક' સાથે સંબંધિત ટિપ્પણી બદલ તેમની સામે 2019 માં દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે તેમનો ગેરલાયકાતનો આદેશ 23 માર્ચથી અમલમાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "તેમને (રાહુલ ગાંધી) બંધારણની કલમ 23 (102) અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1ની કલમ 1951 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે."
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠર્યાના એક દિવસ બાદ શનિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સંસદસભ્ય રહે કે ન રહે કે પછી જેલમાં પણ મુકાશે, તેઓ લોકશાહી માટે લડતા રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ડરતા નથી અને માફી માંગશે નહીં કારણ કે તેમનું નામ ગાંધી છે, સાવરકર નહીં અને ગાંધી માફી માંગતા નથી.