વલસાડ: કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે બુલેટ ટ્રેન વલસાડ જિલ્લામાંથી પણ પસાર થનાર છે. આથી પ્રોજેક્ટને ઝડપી પુરો કરવા માટે સરકાર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેની જાણ થતાં અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થઇ ગયા હતા. આથી અગાઉથી ખેડૂતોને કોઈપણ જાતની જાણ કરવામાં આવી ન હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોને સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉથી ખેડૂતોને કોઈપણ જાતની જાણ નહીં કરવામાં આવી હોવાથી ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ વલસાડ જિલ્લામાં પણ હવે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે અસરગ્રસ્તોના વિરોધ ને લઈ મામલો ગરમાયો હતો.
આ ઘટનાને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જિલ્લામાં હજુ માપણીની શરૂઆત જ છે ત્યારે આવનાર દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.