1 ઓગસ્ટ 2018ના અનામત ઠરાવનો મુદ્દો બંને વર્ગ અનામત અને બિન અનામત માટે વિરોધનો મુદ્દો બની ગયો છે. ત્યારે ગાંધીનગરમાં હાલ અનામતવર્ગ અને અને અનામત વર્ગ પોત-પોતાની માંગણી સાથે ધરણા કરી રહ્યા છે. ત્યારે આ ઠરાવને લઇને સરકાર સંકટમાં મુકાઇ છે. ત્યારે હવે સરકાર શું નિર્ણય લે તે તો સમય જ બતાવશે પરંતુ આ નિર્ણય પહેલા રાજકીય અને બિનરાજકીય લોકો આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે આ વિવાદ મામલે વરૂણ પટેલે ટ્વીટ કર્યું છે. તો બાંભણિયાએ સરકારને ચીમકી આપી છે.
બિનઅનામત વિવાદ મામલે વરૂણ પટેલે ટ્વીટ કરી કર્યો દાવો
આવતીકાલે સરકાર તમામ લોકોને બોલાવશે, બાદમાં નિર્ણય જાહેર કરશે
સરકાર ઠરાવ રદ્દ કરવાનું વિચારી રહી છેઃ બાંભણિયા
1-8-18ના અનામત અંગેના ઠરાવને લઇને ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે પણ બેઠક યોજાઈ હતી. જેમાં ઠરાવમાં ફેરફાર તેમજ બિન અનામત વર્ગની માંગણીઓ મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.
બિનઅનામત વિવાદ મામલે વરૂણ પટેલનું ટ્વીટ
બિનઅનામત વિવાદ મામલે વરૂણ પટેલે ટ્વીટ કરી દાવો કર્યો છે કે, સરકાર આવતીકાલે નિર્ણય જાહેર કરશે. વરૂણ પટેલે ટ્વીટ કર્યું છે કે, સરકાર તમામ પક્ષકારોને બોલાવશે. તેની સાથે વિચાર વિમર્ષ કરશે અને ત્યારબાદ બંને પક્ષોને વિશ્વાસમાં લઈ નિર્ણય જાહેર કરશે. અનામત અને બિનઅનામતના આંદોલનકારીઓને સરકાર સાંભળશે. વરૂણ પટેલે ટ્વીટ કરી ખુલાસો કર્યો છે.
સરકાર માં અત્યારે હાલ જ વાત થયા પ્રમાણે, તમામ રજુઆત કરતા પક્ષકારો ને કાલે મંત્રણા માટે બોલાવી વિચાર વિમર્ષ કર્યા બાદ જ અને બન્ને પક્ષ ને વિશ્વાસ માં લઇ સરકાર પોતાનો નિર્ણય જાહેર કર છે #lrd@dineshPAAS@purvinpatel_
1-8-2018ના ઠરાવમાં સુધારો કરવા મામલે બિન અનામત વર્ગના આગેવાનોએ સરકારને ચીમકી આપી છે. આગેવાનોએ આ સમગ્ર મામલે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી માગ કરી છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી બિન અનામત વર્ગ સાથે ભેદભાવની નીતિ રાખતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સરકાર જો બિન અનામત વર્ગ સાથે અન્યાય કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આંદોલનોનો સુખદ અંત આવશેઃ મનસુખ વસાવા
ગાંધીનગરમાં ચાલી રહેલા વિવિધ આંદોલનોનો સુખદ અંત આવશે.રાજ્ય સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરી રહી છે. રાજપીપળા ખાતે કલા મહાકુંભમાં હાજર રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને પૂર્ણ વિશ્વાસ છે જે વિવાદ ચાલી રહ્યા છે જેનો સુખદ અંત આવવાનો છે. આદિવાસી આંદોલન અંગે કહ્યું કે આદિવાસીઓના હિતમાં સરકાર કામ કરી રહી છે. આવનારા દિવસોમાં આદિવાસીઓ સાથે ન્યાય થશે.
મહત્વનું છે કે, LRD ભરતી મેરિટ વિવાદના મામલે અનામત વર્ગની મહિલાઓ છેલ્લા કેટલાક દિવસો ધરણાં કરી રહી છે. ધરણા કરી રહેલી મહિલાઓને આદિવાસી અને માલધારી સમાજે સમર્થન આપ્યું છે. અનામત વર્ગની મહિલાઓના સમર્થનમાં આદિવાસી સમાજ પણ જોડાયો છે. તેઓ 1-8-18નો પરિપત્ર રદ કરવાની માગ કરી રહ્યા છે.