દેશભરમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) સામે વિરોધ દેખાવો જારી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે એક વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું છે કે જરૂર પડશે તો પ૦ લાખ મુસ્લિમ ઘૂસણખોરોને ઓળખી કાઢીને દેશની બહાર હાંકી કાઢીશું.
દેશભરમાં CAA અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) સામે વિરોધ દેખાવો જારી
CAAનો વિરોધ કરી રહેલા રાજ્યના જાણીતા કલાકારો અને બુદ્ધિજીવીઓ મમતા બેનરજીના કૂતરાઓ છે
એ જ રીતે તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા સાંસદ સૌમિત્ર ખાને જણાવ્યું છે કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલ રાજ્યના જાણીતા કલાકારો અને બુદ્ધિજીવીઓ મમતા બેનરજીના કૂતરાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકો સૂચિત એનઆરસી અને સીએએની હકીકતો જાણે છે તેમ છતાં વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ મમતા બેનરજીના કૂતરા છે.
તાજેતરમાં સીએએ (CAA) અને એનઆરસી (NRC) વિરુદ્ધ થઇ રહેલા દેખાવોમાં પશ્ચિમ બંગાળના અભિનેતાઓ, દિગ્દર્શકો અને સંગીતકારોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કલાકારો સીએએ વિરુદ્ધ એક વીડિયોમાં પણ જોવા મળ્યા હતા. કલાકારો વીડિયોમાં એવું કહી રહ્યા હતા કે જો કેન્દ્ર સરકાર નાગરિકતા પર ફરીથી પુરાવા માગશે તો તેઓ કોઇ પણ દસ્તાવેજ નહીં બતાવે.
સૌમિત્રખાને વધુમાં જણાવ્યું હતું કે આ કલાકારો અને બુદ્ધિજીવીઓ કામદૂની અને પાર્કસ્ટ્રીટમાં થયેલા સામૂહિક બળાત્કાર પર કેમ ચૂપ રહ્યા હતા? બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ પર તેઓ કેમ મૌન રહ્યા હતા. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે બંગાળના ચોવીસ પરગણા જિલ્લામાં એક રેલીને સંબોધતાં મુખ્યપ્રધાન મમતા બેનરજી પર નિશાન તાકયું હતું.
Dilip Ghosh, West Bengal BJP Chief: Once this is done Didi's (CM Mamata Banerjee) votes will be reduced and in the coming elections, we will get 200 seats, she will not even get 50 seats. https://t.co/2ZCH4zp5Mn
તેમણે જણાવ્યું હતું કે સૌ પહેલાં તો મુસ્લિમ ઘૂસણખોરોને ઓળખી કાઢીને તેમનાં નામ મતદારયાદીમાંથી રદ કરવામાં આવશે. ત્યાર બાદ દીદી (મમતા બેનરજી) કોઇની ખુશામત કરી શકશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘૂસણખોરોનાં નામ મતદારયાદીમાંથી રદ થવાના કારણે 2021માં યોજાનારી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીના મતદારો ઘટી જશે. તેને લઇ ચૂંટણીમાં અમને 200 બેઠકો મળશે અને મમતા બેનરજીને માત્ર 50 બેઠકો જ મળશે.
સીએએ અને એનઆરસી સામે વિરોધ કરી રહેલા પક્ષો પર પ્રહારો કરતાં દિલીપ ઘોષે જણાવ્યું હતું કે આવા પક્ષોને માત્ર ઘૂસણખોરો માટે જ સહાનુભૂતિ છે.