400 લોકોને કંકોત્રી વહેંચીને હવે 150 લોકોની ગાઇડલાઇન આવી, ઘર આંગણે લગ્ન આવીને ઊભા પણ સરકારની કોરોના ગાઈડલાઇનના પહેરાએ આયોજન પર પથારી ફેરવી
લગ્નમાં આમંત્રણની માથાકૂટ
400 લોકોને કંકોત્રી લખી નાખી
150ની ગાઈડલાઇન તો કોને કાપવા તે મોટી મૂંઝવણ
રાજ્યમાં કોરોના સંક્રમણ માં થઇ રહેલા વધારાને પગલે સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્ન પ્રસંગોમાં 400 લોકો ની મર્યાદા ઘટાડી માત્ર 150 લોકોની જ કરી દીધી છે.. તો બીજી તરફ 15 જાન્યુઆરી બાદ શરૂ થઇ રહેલ લગ્ન સિઝનમાં હજારોની સંખ્યામાં લગ્ન થવાના છે ત્યારે તેમાં ઝાકમઝોળ ને ગ્રહણ લાગ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.. પરિવારો મૂંઝવણમાં છે કે લગ્ન પ્રસંગ કેવી રીતે યોજવા..!
પરિવારો મૂંઝવણમાં કોને આમંત્રણ આપવું?
દ્રશ્યો માં જોઈ રહ્યા છો તે કૃપા ના લગ્ન 22-23 જાન્યુઆરીના રોજ થનાર છે.પરિવારની લાડકવાઈ દીકરીના લગ્નને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી.. તમામ સંબંધીઓને બોલાવવાના આયોજન સાથે 800 કંકોત્રી છપાવવામાં આવી.. જો કે લગ્નની તારીખો નજીક આવતા જ કોરોના સંક્રમણમાં પણ વધારો થતા ગાઇડલાઈન આવી કે માત્ર 400 લોકોને જ લગ્ન માં બોલાવી શકશો.. 400 લોકોને કંકોત્રી વહેંચી ને હવે 150 લોકોની ગાઇડલાઇન આવી.. હોવે પરિવાર મૂંઝવણ માં છે.. યુવતીને પોતાના લગ્નના બહુ અરમાન હોય છે ત્યારે હવે તમામ પ્લાનિંગ ચોપટ થઈ ગયા હોવાનું કૃપા અનુભવી રહી છે.
'આમંત્રણ આપી દીધું હવે કેવી રીતે કહેવું કે લગ્નમાં ન આવતા'
આ લગ્ન સિઝનમાં સમગ્ર ગુજરાતમાં અંદાજીત 10 હજાર જેટલા લગ્નો થનાર છે જે પૈકી 4 હજાર જેટલા તો માત્ર અમદાવાદમાં જ થનાર છે.સરકારની ગાઇડ લાઇન ના કારણે આ તમામ લગ્ન પ્રસંગો પર માઠી અસર થયેલી જોવા મળશે.આ પરિવાર એ મૂંઝવણ માં પણ છે કે હવે જે 400 લોકોને કંકોત્રી આપી દેવામાં આવી છે એ પૈકી 250 લોકોને કેવીરીતે કહેવું કે તમે લગ્નમાં ના આવતા..!
અમદાવાદના આ પંડ્યા પરિવારને તો અમે માત્ર ઉદાહરણ તરીકે જ દર્શાવી રહ્યા છીએ.. પરંતુ આ લગ્ન સીઝનમાં લગ્નનું આયોજન કરનાર તમામ પરિવારો ની સ્થિતિ આ જ પ્રકારની અત્યારે જોવા મળી રહી છે.જે પૈકી કેટલાક લગ્નો હાલ પૂરતા બંધ રખાઈ રહ્યા છે તો કેટલાક સાદાઇ થી લગ્ન કરવા મજબુર બન્યા છે..