BCCIની સિનીયર કમીટીએ શુક્રવારે આ વર્ષે જૂનમાં થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ભારતની ટીમનું એેલાન કરી દીધુ છે.
સ્ટાર ખેલાડીને નથી મળ્યો મોકો
આ ખેલાડીનું કરિયર પતી ગયુ
બીસીસીઆઇએ આપ્યા સંકેત
ખેલાડીઓની લિસ્ટમાં એક મોટુ નામ એવુ છે જેને છેલ્લા ઘણા સમયથી નથી મળી રહ્યાં અને ખેલાડીના કરિયર પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.
કુલદીપને નથી મળ્યો મોકો
કુલદીપ યાદવને ટીમ મેનેજમેન્ટ તક નથી આપી રહી. આ વાતમાં કોઇ શંકા નથી કે કુલદીપે છેલ્લી સિરીઝમાં સારુ પફોર્મ કર્યુ હતુ પરંતુ તેને વધારે ઓવર ફેંકવાનો મોકો નહોતો મળ્યો.
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કુલદીપ યાદવ લગભગ 2 વર્ષથી ટેસ્ટ ટીમમાં વાપસીની રાહ જોઇ રહ્યો હતો પરંતુ તે તક પણ માત્ર નામની જ હતી. એકવાર ફરી તેને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે કુલદીપ યાદવના કરિયર પર સવાલ ઉઠવાના શરૂ થઇ ગયા છે. આ વર્ષે થયેલા સિનીયર પુરુષ ટીમ માટેના કોન્ટ્રાક્ટમાં પણ કુલદીપનું ડિમોશન થયુ છે. કુલદીપને એ ગ્રેડથી સીધો સી ગ્રેડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, એટલે કે હવે કુલદીપને 5 કરોડ નહી પરંતુ 1 કરોડની સેલેરી મળશે.
18 જૂનથી શરૂ થશે ઘમાસાણ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 18 જૂને સાઉથમ્પટનમાં રમાશે. જ્યારે ઇંગ્લેન્ડ વિરુદ્ધની શ્રૃંખલા 4 ઓગસ્ટથી નોટિંઘમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 12 થી 16 ઓગસ્ટ અને ત્રીજી 25 થી 29 ઓગસ્ટે રમાશે.