ડાયાબિટીસના દર્દીઓએ ડાયટને લઇને ખાસ સતર્ક રહેવુ જોઇએ નહીં તો મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવુ ?
ઓફિસમાં ખાસ શું રાખવુ ધ્યાન ?
હેલ્ધી ડાયટ છે જરૂરી
સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ કારણ છે કે આજકાલ લોકોની જીવનશૈલી અને ખાણીપીણી એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. પરિણામે ધીરે ધીરે શરીર રોગોનું ઘર બનવા લાગે છે. ત્યારે આવો જ એક રોગ છે ડાયાબિટીસ. જો ડાયાબિટીસનો તમે શિકાર બન્યા હોવ તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે.
સંતુલિત આહાર ખાવો જરૂરી
અસંતુલિત આહારના કારણે લોકોમાં ડાયાબિટીસનો રોગ પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડાયાબિટીસના દર્દીઓના આહાર અને જીવનશૈલીને લગતી ભૂલો તેમની સમસ્યાઓમાં વધારો કરી શકે છે.ઑફિસમાં કામના પ્રેશરને કારણે ઘણીવાર ખાવામાં સમય જળવાતો નથી. ત્યારે આવા સમયે ઑફિસમા રહીને પણ ડાયાબિટીસના દર્દીઓ પોતાની સંભાળ કેવી રીતે રાખી શકે તે વિશે આપણે જાણીએ.
ડાયાબિટીસના દર્દીઓ ઓફિસમાં આ રીતે રાખો ધ્યાન
કામમાંથી બ્રેક લો
ડાયાબિટીસના દર્દીઓએ ઓફિસમાં કામ કરતી વખતે દર એક કલાકે બ્રેક લેવો જ જોઈએ. આવા લોકો જે ડેસ્ક જોબ પર હોય તેમના માટે તે ખૂબ જ જરૂરી છે. લાંબા સમય સુધી સતત બેસી રહેવાથી તમારી સમસ્યા વધી શકે છે. તમે બ્રેક લેતી વખતે થોડું વૉક કરી શકો છો, આમ ન કરવાથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.
નાસ્તાનું ધ્યાન રાખો
ઓફિસથી બહાર નીકળતા પહેલા નિયમિત રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાથી તમને ડાયાબિટીસની સમસ્યા નહીં થાય. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે ઓફિસ જવાના એક કલાક પહેલા હેલ્ધી બ્રેકફાસ્ટ કરો. તમે નાસ્તામાં ફળો, દહીં, અનાજનો સમાવેશ કરી શકો છો.
પૂરતું પાણી પીઓ
ડાયાબિટીસના દર્દીઓએ ઓફિસમાં હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમારા શરીરમાં પાણીની કમી નહીં થાય અને તમારી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. તમને જણાવી દઈએ કે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે, જેના કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે.તેથી દર કલાકે પાણી પીઓ.