ધનતેરસના દિવસે મા લક્ષ્મીની સાથે કુબેર અને ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે.
ધનતેરસથી ગણાય છે દિવાળીની શરૂઆત
ધનતેરસે આ રીતે કરો પૂજા
ધનતેરસ પહેલા કરો ઘરની સાફ સફાઈ
દિવાળીની શરૂઆત ધનતેરસથી ગણાય છે. આ પહેલા જ લોકો ઘરની સફાઈ અને સજાવટ કરવા લાગે છે. આ દિવસે મા લક્ષ્મીની સાથે કુબેર અને ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આવી સ્થિતિમાં લોકો આ દિવસે નવી વસ્તુઓ ખરીદીને ઘરે લાવે છે. જો કે, ઘણા લોકો જાણકારીના અભાવે અજાણતામાં ભૂલો કરે છે, જેના કારણે તેઓને પૂજાનો લાભ મળતો નથી.
ધનતેરસે આ રીતે કરો પૂજા
ધનતેરસના દિવસે લોકો મોટાભાગે કુબેરની જ પૂજા કરે છે. જોકે, આવું કરવું ખોટું છે. આ દિવસે કુબેર સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરો. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ધન અને અનાજની ક્યારેય કમી નથી આવતી.
ઘર સાફ કરો
દિવાળી પહેલા લોકો ઘર સાફ કરે છે. ધનતેરસ પહેલા ઘરમાં પડેલો કચરો અને ખરાબ વસ્તુઓને બહાર કાઢો અને સાફ-સફાઈ કરો. આવું ન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરના મુખ્ય દરવાજાની બહાર ગંદકી ન રહેવા દો. આ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, કારણ કે આ સ્થાનથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
ધનતેરસે શુભ મુહૂર્તમાં જ કરો ખરીદી
ધનતેરસ પર લોકો ભારે ખરીદી કરે છે. જો કે ધનતેરસનો આખો દિવસ ખરીદી ન કરો. ખરીદી માટે પણ ખાસ સમય હોય છે. જો તમે તે મુજબ ખરીદી કરો તો તે વધુ સારું રહેશે. આ દિવસે ધાણા, સાવરણી, કલશ, વાસણો અને સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે સુવુ નહીં
ધનતેરસના દિવસે સૂવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જો આ દિવસે શક્ય હોય તો તમે રાત્રે જાગરણ પણ કરી શકો છો. સાથે જ આ દિવસે ઘરમાં ઝઘડાથી પણ બચવું જોઈએ. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.
ધનતેરસે લોખંડની ખરીદી ન કરો
જો કે ધનતેરસને ખરીદીનો દિવસ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે લોખંડ ખરીદવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સાથે આ દિવસે કોઈએ પૈસા ઉધાર પણ ન આપવા જોઈએ.