દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવવાનો છે. આ દિવસે ધનના દેવ ધનવંતરી, કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજાનું મહત્વ છે. ધનતેરસના દિવસે નવી ચીજ વસ્તુઓની ખરીદી ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.
ઘરની સાફ-સફાઈ કરવાથી તમારી પર ભગવાન કુબેરની થશે કૃપા
ઘરની આ 4 દિશાઓને કરો સાફ
શું તમે જાણો છો કે આ તહેવાર પહેલાં ઘરના થોડા ભાગની સફાઈ કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન ધન્વંતરીના આશીર્વાદથી તમારું નસીબ ચમકી શકે છે. દિવાળીની સફાઈ તો તમે બધાએ કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસની સવારે ઘરના મુખ્ય સ્થાનોની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. આ દિવસે પોતાના ઘરના નોર્થ-ઈસ્ટ ઝોન એટલેકે ઈશાન ખૂણો, ઈસ્ટ ઝોન એટલેકે પૂર્વ દિશા, નોર્થ ઝોન એટલેકે ઉત્તર દિશાની સફાઈ કરવી જોઈએ.
સફાઈ બાદ કરો આ કામ
ઘરની વચ્ચે એટલેકે બહ્મ સ્થાને રહેલો બિન જરૂરી સામાન હટાવીને આ જગ્યા સ્વચ્છ કરો. ગંગાજળ છાંટવુ જોઈએ. એક વાસણમાં ગંગાજળ લો અને પછી તેને પોતાના ઘરની ઉત્તર દિશામાં છાંટો. આ સાથે ગંગાજળના થોડા છાંટા પોતાના ઘરની તિજોરી પર નાખો. જ્યાં તમે રૂપિયા-પૈસા રાખો છો. ખરેખર, આમ કરવાથી તમારા પર ભગવાન કુબેરની કૃપા થશે.
સાવરણીનો ઉપયોગ
ઘરની સાફ-સફાઈ કર્યા બાદ ધ્યાન રાખો કે સાવરણીને હંમેશા છુપાવીને રાખો. સાવરણીને એવી જગ્યાએ રાખો કે ત્યાં કોઈની નજર સરળતાથી ના પડે. ઉભી અને સુકાઈ ગયેલી સાવરણી સંપત્તિના વિનાશનું પ્રતિક માનવામાં આવી છે.
માછલી ઘરની સફાઈ
જો તમારા ઘરમાં કોઈ માછલી ઘર છે, તો તેની સફાઈ ધન તેરસના દિવસે ફરજીયાત કરો. ધનતેરસના દિવસે સાંજે ઘરમાં પાંચ દીવા પ્રગટાવો અને પછી એક દીવો પોતાના ઘરના મંદિરે, એક તુલસી, એક પાણીયારે, અને બે દીવા દરવાજા પર રાખો. ધનતેરસના દિવસે કુબેર સિવાય યમદેવના નામે પણ દીવો ફરજીયાત પ્રગટાવો.