રાજ્યભરમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉનનો કડક માહોલ ચાલી છે ત્યારે આજરોજ ફરીએક વાર પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કેટલા બેજવાબદાર લોકો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સોસાયટીમાં લોકો એકઠાં થઇને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોરોનાને સામેથી આમંત્રણ આપી રહ્યાં છે આવા બેજવાબદાર લોકો.
કોરોના મહામારી સામેની લડતમાં લોકો બન્યા બેજવાબદાર
સોસાયટીઓમાં લોકો કરી રહ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ
સોસાયટીમાં ભેગા થતા લોકો સામે પોલીસની કાર્યવાહી
તેમણે છેલ્લા 24 કલાકના રાજ્યમાં બનેલ ગુનાઓની વિગત આપતા કહ્યું હતું કે, જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા વધીને 2271 થઇ છે. આ સાથે અત્યાર સુધીમાં 4331 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો 3177 જેટલા વાહનો પણ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.
કર્ફ્યું ભંગ કરતા લોકો સામે કરાઇ કાર્યવાહી
રાજ્યમાં ડ્રોનની મદદથી ઝડપાયેલા 317 જેટલાક લોકો સામે તો CCTVની મદદથી દાખલ 83 જેટલા ગુના દાખલ થયાં છે. અમદાવાદમાં આજ સુધીમાં કર્ફ્યુ ભંગના 164-ગુના, 197-લોકોની ધરપકડ તો સુરતમાં આજ સુધી કર્ફ્યુ ભંગના 147-ગુના, 167-લોકોની ધરપકડ અને રાજકોટમાં આજ સુધીના કર્ફ્યુ ભંગના 107-ગુના, 119-લોકોની ધરપકડ કરવામાં આવી છે.
CCTV આધારે આજ સુધીમાં 189 ગુનાઓ દાખલ કરાયા છે
તેમણે વધુમાં જણાવ્યું કે, સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 189 ગુનાઓ દાખલ કરી 335 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.ANPR આધારે આજ સુધીમાં 386 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.