જે લોકો ફ્લાઈટમાં મુસાફરી સમયે બેગેજ નહીં લે અને ફક્ત કેબિનમાં લઈ જનારા બેગેજને લઈને જાય છે તો તેમને ટિકિટમાં ભારે છૂટ મળશે.
DGCAએ હવાઈ મુસાફરોને આપી ગુડન્યૂઝ
એરલાઈન્સ આપશે પેસેન્જર્સને બમ્પર છૂટ
કેબિનમાં લઈ જનારા બેગેજમાં મળશે છૂટ
કોરોના વાયરસ મહામારીના કારણે નુકસાનમાં ચાલી રહેલી એરલાઈન્સે હવે ભાડામાં વધારા કર્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં યાત્રા કરવાનું મોઘું થયું છે. જો કે ચેક ઈન બેગના નિયમથી હવે ફ્લાઈટ્સમાં યાત્રા કરવાનું સરળ થશે. જો તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરવા ઈચ્છો છો તો તમે ટ્રાવેલના સમયે ચેક ઈન બેગે વિના યાત્રા કરનારા યાત્રીઓને ભાડમાં છૂટ મળશે.
કયા યાત્રીઓને મળશે છૂટ
દેશમા સિવિલ એવિએશનની નિયામક સંસ્થા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એક સર્ક્યુલર જાહેર કર્યો છે. તેમાં ઉડાન સંચાલકોએ એ યયાત્રીઓને ટિકિટમાં છૂટ આપવાનું કહ્યું છે જે ફ્લાઈટના સમયે કોઈ બેગેજ રાખશે નહીં. અથવા તો ફ્કત કેબિનમાં લઈ જનારા બેગેજ જ સાથે રાખશે. આ માટે યાત્રીઓને ટિકિટ બુક કરતી સમયે તેની જાણકારી અપાશે.
Directorate General of Civil Aviation issues a circular, allowing airlines to give concessions in ticket prices to passengers who carry no baggage. pic.twitter.com/o8ygs7kkGo
DGCAએ જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવાયું છે જે યાત્રીઓ સામાન વિના કે ફક્ત કેબિન બેગની સાથે યાત્રા કરે છે તેમને એરલાઈન્સ સસ્તી ટિકિટ ઓફર કરી શકે છે. મળતી માહિતી અનુસાર DGCAએ ચેક-ઈન બેગ્સ પર એરલાઈન્સના પ્રતિબંધને હટાવ્યો છે. તેનાથી ફ્લાઈટની મુસાફરી 200 રૂપિયા સસ્તી થશે. હાલના નિયમો અનુસાર તમને ફ્લાઈટમાં 7 કિલોનું કેબિન બેગેજ અને 15 કિલોનું ચેક-ઈન બેગે લઈ જવાની પરમિશન છે. હાલમાં 15 કિલો ચેક ઈન બેગેજને માટે કંપનીઓ 200 રૂપિયા ચાર્જ કરે છે. હવે આ નિયમ હટાવી દેવાયો છે. આ ચાર્જ ત્યારે કામ કરે છે જ્યારે ફ્લાઈટ મહામારીથી પહેલાના સ્તરે પહોંચે.
છૂટને લઈને નિર્ણય એરલાઈન્સનો રહેશે
એવિએશન નિયામક સંસ્થાએ અન્ય સેવાઓ જેમકે પસંદગીની સીટ, ભોજન અને ડ્રિંક્સ ચાર્જ, એરલાઈન લોન્જ, રમતના ઉપકરણો અને સંગીત વાદ્ય માટે શુલ્કને અલગ કરવાની પરમિશન આપી છે. આ નિયમો માટે એરલાઈન્સે નિર્ણય લેવાનો છે કે આ છૂટ કેટલી રહેશે. કંપનીઓ નક્કી કરે કે લાઈટ ફેયર અને એરપોર્ટ પર ચેક ઈન બેગની સાથે સફર કરનારા યાત્રીઓને કેટલો ચાર્જ આપવાનો રહેશે.
25 મે 2020થી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થઈ હતી શરૂ
ગયા વર્ષે માર્ચમાં 2 મહિના ડોમેસ્ટિક ફ્લાઈટ્સ લોકડાઉનના કારણે બંધ રહી. આ પછી 25 મે 2020થી ફ્લાઈટ્સ શરૂ કરાઈ હતી. એવિએશન મિનિસ્ટ્રીએ કંપનીના માટે ભાડાના બેન્ડ બનાવ્યા અને તે સમયે ઉડાન પર લાઈટ ફેર લગાવાયા હતા.