છેલ્લા થોડા સમયથી સ્પાઈસજેટના વિમાનોમાં સતત ખામીઓ આવી રહી છે. જેના પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એક્શનમાં આવ્યું છે.
સતત ધાંધિયાને લઈને સ્પાઈજેટ એરલાઈન્સ કંપની પર સવાલો થયા
ડીજીસીએએ એરલાઈન્સ કંપની પર એક્શન લીધી
આઠ અઠવાડીયા માટે 50 ટકા ફ્લાઈટ પર રોક લગાવી
છેલ્લા થોડા સમયથી સ્પાઈસજેટના વિમાનોમાં સતત ખામીઓ આવી રહી છે. જેના પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એક્શનમાં આવ્યું છે. DGCAએ મહત્વનો નિર્ણય લેતા સ્પાઈસજેટની 50 ટકા જેટલી ફ્લાઈટને આઠ અઠવાડીયા માટે ઉડાન ભરતા રોક લગાવી છે. ડીજીસીએએ 6 જૂલાઈના રોજ સ્પાઈસજેટને 19 જૂનથી પોતાના વિમાનમાં ટેકનિકલી ખામીની લગભગ આઠ ઘટનાઓમાં કારણ બતાઓ નોટિસ જાહેર કરી હતી. આ સમયગાળા દરમિયાન સ્પાઈસજેટના વિમાન પર ડીજીસીએ બાજનજર રાખી રહ્યું છે.
DGCA’s observation that SpiceJet is taking measures for arresting the trend of incidents is very encouraging and we will continue to work under the close guidance of the regulator: SpiceJet
બુધવારે ઉડ્ડયન નિયમનકારના આદેશમાં કહેવાયુ છે કે, કેટલાય સ્પોટ ચેક, નિરીક્ષણના નિષ્કર્ષો અને સ્પાઈજેટ દ્વારા રજૂ કરવામાં આવેલા રજૂ કરવામાં આવેલ કારણ બતાવો નોટિસના જવાબને ધ્યાને રાખીને સુરક્ષિત અને વિશ્વસનિય પરિવહન સેવાને નિરંતર નિર્વહન માટે સ્પાઈસજેટની ઉડાન સંખ્યાને 50 ટકા સુધી મર્યાદિત કરી દેવામા આવી છે અને તે 8 અઠવાડીયા સુધી રહેશે.
12 જૂલાઈના રોજ સ્પાઈસજેટની દુબઈ-મદુરાઈ ઉડાનમાં વિમાનના આગળના પૈડામાં ખરાબી આવી ગઈ હતી. આ અગાઉ એવી કેટલીય ઘટનાઓ ઘટી હતી, જેને લઈને આ એરલાઈન્સ કંપનીના સંચાલન પર સવાલો ઊભા થયા હતા. ડીજીસીએએ છ જૂલાઈના રોજ વિમાનમાં ટેકનિકલ ખામીની આઠ ઘટનાઓને ધ્યાને રાખીને કારણ બતાઓ નોટિસ જાહેર કરી હતી.