દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું "ઉદ્ધવ ઠાકરે પીઠમાં છૂરો માર્યો", વધુમાં જણાવ્યું 2024માં શિંદે-ફડણવીસ સાથે મળીને ચૂંટણી લડશે.
દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર
"ઉદ્ધવ ઠાકરેએ પીઠમાં છૂરો માર્યો"
"2024માં શિંદે-ફડણવીસ સાથે મળીને ચૂંટણી લડશ"
"શિવસેનાને સીએમ પદ દેવાની વાત ન હતી"
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા છે. ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ તેમની પીઠમાં છૂરો માર્યો છે. તેમણે કહ્યું કે શિવસેનાને સીએમ પદ આપવાનું કોઈ વચન આપવામાં આવ્યું ન હતું. તેમણે શિવસેના પર બેઈમાનીનો આરોપ લગાવતા કહ્યું કે તેમના મનમાં બેઈમાનીનો બદલો લેવાની ઈચ્છા હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2019માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. બાદમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને મતભેદ થયો હતો.આ પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથેમળી મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં સરકાર બનાવી અને જૂન મહિનામાં શિવસેનામાં બળવો થયો હતો. જેમાં પછી શિંદે જૂથના ધારાસભ્યોએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. જેમાં એકનાથ શિંદેને સીએમ બન્યા.
"શિવસેનાને સીએમ પદ દેવાની વાત ન હતી"
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ શનિવારે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તે દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે શિવસેનાને અઢી વર્ષની વાતમાં કોઈ વચન આપવામાં આવ્યું ન હતું. શિવસેનાને સીએમ પદ આપવા અંગે કોઈ પણ વાત થઈ ન હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે મારી ઉમેદવારીનું સમર્થન કર્યું હતું. ફડણવીસના કહેવા પ્રમાણે શિવસેનાને વિભાગો સોંપવાની વાત થઈ હતી. ફડણવીસે કહ્યું કે ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા અને મારી અને ભાજપની પીઠમાં છૂરો માર્યો. આ કારણે હું બદલો લેવા માંગતો હતો. તેમણે કહ્યું કે અમે કોઈ સાધુ સંત નથી, જેમણે મૌન રહેવું જોઈએ.
"ઉદ્ધવ ઠાકરે સરકાર જૂઠું બોલતી"
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શિવસેના પણ તમને અઢી વર્ષ માટે સીએમ પદ આપવા તૈયાર હતી. તેના પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ કહ્યું કે અમે અમારી પોતાની તાકાતથી સત્તા મેળવવી હતી. આ દરમિયાન ફડણવીસે એમ પણ કહ્યું હતું કે આગળની તમામ ચૂંટણી એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને લડવામાં આવશે. તેમણે ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખોટું બોલવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની સરકાર સવાર, બપોર, સાંજ અને રાત્રે જૂઠું બોલતી હતી.
2024માં શિંદે-ફડણવીસ સાથે મળીને ચૂંટણી લડશે
દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું કે મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો કોણ હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે પીએમ મોદી અમારા હુક્કમના એક્કો છે. નરેન્દ્ર મોદીના ચહેરા પાછળ કોઈપણ ચહેરો લગાવી દો. ફડણવીસે કહ્યું કે અમારા નેતા આજે પણ એકનાથ શિંદે છે અને આવતીકાલે પણ શિંદે જ રહેશે. તેમણે કહ્યું કે 2024માં શિંદે-ફડણવીસ સાથે મળીને ચૂંટણી લડશે અને સત્તામાં પર ફરી આવશે.