ગુજરાતમાં વસ્તી નિયંત્રણની નીતિને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે રાજ્યમાં જ્યારે વસ્તી નિયંત્રણ નીતિમાં ફેરફાર કરવાની જરૂર પડશે ત્યારે કરીશુું
વસ્તી નિંયત્રણ પર નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
અમુક નિયમો સરકારે પહેલાથી બનાવ્યા છે
જરૂર પડતા સુધારા વધારા કરવામાં આવશે
ગુજરાતમાં વસ્તી નિયંત્રણ નીતિને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. વસ્તી નિયંત્રણની માટેની નવી નીતિને લઈને ડેપ્યુટી સીએમએ કહ્યું કે ગુજરાતમાં વસ્તી નિયંત્રણની જરૂર પડશે ત્યારે વિચારીશું. સાથેજ તેમણે કહ્યું કે અલગ રાજયોમાં સરકાર કાયદાઓતો લાવીજ રહી છે.
વર્ષો પહેલા અમુક નિર્ણયો લેવાયેલા
વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે જેને બે થી વધારે બાળક છે તે ચૂંટણીમાં ઉમંદવારી કરી ન શકે અને સભ્ય પણ બની ન શકે તે માટે વર્ષો પહેલા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તેમણે કહ્યું કે બીજા પણ નાના મોટા નિયમો સરકારે પહેલાથી બનાવેલા છે. જેમા લોકો 2 થી વધું બાળકોને જન્મ ન આપે તે માટે આરોગ્ય વિભાગ તેમજ સરકાર સતત લોકોને સમજાવતી હોય છે.
સુધારા કરવા જેવા લાગશે તો કરાશે
સમંગ્ર મામલે ડેપ્યુટી સીએમએ કહ્યું કે દેશના અન્ય રાજ્યો વસ્તી વધારા મુદ્દે પગલા ભરી રહ્યા છે. જેમા નવા નિયમો અમલમાં મુકાઈ રહ્યા છે. જેથી ગુજરાત સરકાર પણ આ મામલે અભ્યાસ કરશે. જેમા સુધારા વધારા કરવા જેવું લાગશે તો તેના પર સુધારાઓ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં નવી નીતિ જાહેર
ઉલ્લેખનીય છે કે હાલજ ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણને લઈને નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેના કારણે દરેક રાજ્યોમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. ભારતમાં વધતી જતી વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે આ નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમા ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.