કેન્દ્રીય આરોગ્ય મંત્રાલાયે મંગળવારે ડેન્ગ્યુના વધતા કેસોને પહોંચી વળવા માટે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિષ્ણાતોની કેન્દ્રીય ટીમો નિયુક્ત કરી છે.
ડેન્ગ્યુના કહેરમાં પહોંચી વળવા નિષ્ણાતોની ટીમો નિયુક્ત કરી
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 1632 ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા
મધ્ય પ્રદેશમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 10, 500ને વટાવી
ડેન્ગ્યુના કહેરમાં પહોંચી વળવા નિષ્ણાતોની ટીમો નિયુક્ત કરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલાયે મંગળવારે ડેન્ગ્યુના વધતા કેસોને પહોંચી વળવા ટેકનીકલ સહાય પૂરી પાડવા માટે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિષ્ણાતોની કેન્દ્રીય ટીમો નિયુક્ત કરી છે. હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં ડેન્ગ્યુના વધુ કેસ નોંધાતા આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યુ છે. 31 ઓક્ટોબર સુધીમાં દેશમાં ડેન્ગ્યુના કુલ કેસોમાં આ રાજ્યોનો હિસ્સો 86 ટકા છે. નિષ્ણાત ટીમોમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને નેશનલ વેક્ટર બાર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ડેન્ગ્યુની સ્થિતિની વકરતાં આરોગ્ય વિભાગ હરકતમાં
દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરતા, કેનદ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવને ડેન્ગ્યુના સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોની ઓળખ કરવા અને ત્યાં નિષ્ણાતોની ટીમો મોકલવા નિર્દેશ આપ્યો. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 1530 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. અને તેમાંથી 1200 થી વધુ કેસ માત્ર ઓક્ટોબરમાં જ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં દિલ્હીમાં એક મહિનામાં ડેન્ગ્યુના આ સૌથી વધુ કેસ છે.
જમ્મુ-કાશ્મીરમાં ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા
જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીમાં મળી આવેલા કુલ 993 ડેન્ગ્યુ કેસોમાંથી 64 ટકા જમ્મુ જિલ્લાનો છે. મંગળવારે જમ્મુમાં 33 નવા કેસો સાથે આંતડો 639 પર પહોંચી ગયો છે, શહેરના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુથી પ્રભાવિત છે. તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં ડેન્ગ્યુના પીડિતો હોસ્પિટલોમાં પહોંચી રહ્યાં છે.
મધ્ય પ્રદેશમાં કેસ વધી રહ્યા છે
મધ્ય પ્રદેશમાં આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 10 હજાર 500ને વટાવી ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યા છે. વર્ષ 2015 પછી રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ છે. આ પહેલા દર્દીઓની સંખ્યા ક્યારેય પાંચ હજાર સુધી પહોંચી ન હતી. એ સારી વાત છે કે આ વર્ષે દર્દીઓની હાલત ગંભીર નથી.અત્યાર સુધીમાં મળી આવેલા તમામ દર્દીઓમાંથી માત્ર 45 ટકાને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. મંદસૌરમાં આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે. ગ્વાલિયર, જબલપુર, ઉજ્જૈન, ઈન્દોરમાં પણ આ વર્ષે 600 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યના 40 ટકા દર્દીઓ માત્ર પાંચ જિલ્લામાં જ જોવા મળ્યા છે.