બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Premal
Last Updated: 06:50 PM, 2 September 2021
ડેન્ગ્યુના તાવથી દર વર્ષે લાખો લોકોના મોત
મચ્છરોના કારણે થતી આ બિમારીમાં ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓનું સંકટ વધી જાય છે. જે ગંભીર સ્થિતિમાં મોતનું કારણ બની શકે છે. દક્ષિણ પૂર્વ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના ઘણાં દેશોમાં ડેન્ગ્યુના તાવથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે. આરોગ્યના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ, ડેન્ગ્યુના મચ્છર સારા પાણીમાં જન્મે છે અને તેઓ દિવસે વધુ કરડે છે. જેનાથી બચવુ અત્યંત જરૂરી છે.
એડીઝ મચ્છર કરડવાથી આવે છે ડેન્ગ્યુનો તાવ
આરોગ્યના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ, ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત એડીઝ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ આવી જાય છે. સામાન્ય રીતે ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને કરડેલા મચ્છરોમાં આ સંક્રમણ જલ્દી પહોંચે છે અને આવા મચ્છર બીજા મચ્છરોને પણ સંક્રમિત કરી શકે છે. ડેન્ગ્યુ સામાન્ય રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. જો ભારતની વાત કરીએ તો તબીબોનું કહેવુ છે કે ચોમાસાની સિઝનના અંતિમ દિવસમાં આ બિમારીનું સંકટ દેશમાં વધે છે. ડેન્ગ્યુનો શિકાર થયેલા દર્દીઓમાં ઝડપથી તાવ આવવાની સમસ્યા થાય છે. ગંભીર સ્થિતિમાં ડેન્ગ્યુનો તાવ આંતરિક રક્તસ્ત્રાવ, શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું કારણ બને છે. ઘણાં લોકોમાં બ્લડ પ્રેશર ખૂબ ઓછુ થઈ જાય છે. જેનાથી તેમને આઘાત લાગે છે.
ડેન્ગ્યુના સંક્રમણમાં લક્ષણો
આરોગ્યના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ, ડેન્ગ્યુના પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા હોય છે. જેના કારણે લોકો અવાર-નવાર ડેન્ગ્યુના લક્ષણોને ઓળખી શકતા નથી. સામાન્ય રીતે સંક્રમિત મચ્છર કરડવાથી 4 થી 10 દિવસ બાદ તેના લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુમાં જલ્દી તાવ ચડી જાય છે. જેમ જેમ સમય જાય તેમ ધીરે-ધીરે તેના લક્ષણો વધે છે. ડેન્ગ્યુમાં લોકોમાં આ પ્રકારના લક્ષણો પણ હોય છે.
માથાનો દુ:ખાવો
સ્નાયુઓ, હાડકા કે સાંધાનો દુ:ખાવો
આંખોની પાછળની ભાગમાં દુ:ખાવો
સ્કીન પર ફોલ્લી અથવા લાલ ફોલ્લી થવી
ડેન્ગ્યુના મોટાભાગના દર્દીઓ એક અથવા બે અઠવાડિયામાં સાજા થઇ જાય છે. અમુક કેસમાં ગંભીર લક્ષણોની સ્થિતિ અને સમયસર સારવાર ના મળતા ડેન્ગ્યુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પેટમાં ગંભીર દુ:ખાવો, ઉલ્ટી થવી જેવા લક્ષણો ગંભીર સ્થિતિના સંકેત આપે છે.
ડેન્ગ્યુમાં સાજા કેવીરીતે થવાય?
આરોગ્યના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ, ડેન્ગ્યુથી સુરક્ષિત રહેવા માટે તેનાથી બચવુ જોઈએ. મચ્છરોથી બચવાના પ્રયાસ કરો, ડેન્ગ્યુના મચ્છર દિવસે વધુ કરડે છે, તેથી શરીર પર ફૂલ કપડાં પહેરો. ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે સ્થિર અને સ્વચ્છ પાણીમાં વધુ રહે છે. તેથી મચ્છરોને ભેગા થવા માટે કોઈ પણ જગ્યાએ પાણી ભેગુ ના કરશો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ખાલી કન્ટેનર, ફૂલદાની, કૂલર વગેરેમાંથી પાણી કાઢી તેને સ્વચ્છ કરી નાખો. આ પ્રકારની ટીપ્સ અપનાવવાથી તમે ડેન્ગ્યુથી બચી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert