કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને શનિવારે દિલ્હી સહિત દેશભરના 21 રાજ્યોમાંથી લીધેલા પીવાના પાણીના નમૂનાઓનો તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. રામ વિલાસે કહ્યું કે તેમણે આખા દેશનો સર્વે માત્ર દિલ્હી માટે કર્યો હતો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સાથેની બેઠકનું નિવેદન અને સર્વેક્ષણ કર્યું. જેમાં મુંબઈનું પાણી સૌથી ચોખ્ખું હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર અને દિલ્હી અનુક્રમે 14 અને 21 નંબરે જોવા મળ્યા હતા.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે આપ્યો રિપોર્ટ
દેશભરના 21 રાજ્યોમાંથી લેવાયા પાણીના નમૂના
મુંબઈ 1 નંબરે, દિલ્હી 21મા નંબરેઃ રિપોર્ટ
17 રાજ્યોના પાણી પીવાલાયક નથીઃ રિપોર્ટ
મુંબઈવાસીઓને પીવાના સ્વચ્છ પાણી માટે રીવર્સ ઓસ્મોસિસ (RO) વોટર પ્યુરીફાયર લગાવવાની જરૂર નથી. જોકે, દેશના 20 રાજ્યોના પાટનગરોમાં પાણી પ્રદૂષિત છે અને પીવાલાયક નથી તેમ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના એક સર્વેમાં જણાયું હતું. ગ્રાહક મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પાણીની ગુણવત્તાના આધારે દેશના 21 પાટનગરોની જાહેર કરેલી યાદીમાં મુંબઈ ટોચ પર અને દિલ્હી 21મા ક્રમે છે. જોકે, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ સહિત અન્ય મેટ્રો શહેરોમાં પીવાના પાણીના સેમ્પલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના ગુણવત્તાના 11 માપદંડોમાંથી 10માં નિષ્ફળ ગયા હતા. એ જ રીતે અન્ય 17 રાજ્યોના પાટનગરોમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ પણ પીવાના પાણી માટે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (આઈએસ) 10500:2012ને અનુરૂપ નહીં હોવાનું જણાયું હતું.
BIS द्वारा पीने के पानी के लिए तय मानक पर जांच नतीजों में मुंबई के पानी की गुणवत्ता सबसे अच्छी पायी गई है। दिल्ली और अन्य बड़े शहरों में उपलब्ध पानी एक या ज्यादा मापदंडों पर खरा नहीं उतर पाया। गुणवत्ता के आधार पर BIS ने सभी 21 शहरों की रैंकिंग की है। 3/4 @consaff@PMOIndiapic.twitter.com/ahNsYIwMbo
માપદંડોના અમલ બાદ લેવામાં આવશે પગલાંઃ રામવિલાસ પાસવાન
ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ગાંધીનગર, ચંડીગઢ, ગુવાહાટી, બેંગાલુરૂ, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદુન, ચેન્નઈ, કોલકાતા સહિત 13 પાટનગરોમાંથી લેવાલેયા પાણીના સેમ્પલ ઈન્ડયન સ્ટાન્ડર્ડની જરૂરિયાતોને અનુરૂપ નહોતા. કેન્દ્રીય મંત્રાલયનો બીજા તબક્કાનો અભ્યાસ જાહેર કરતાં પાસવાને જણાવ્યું હતું કે, 20 પાટનગરોમાં મુંબઈમાંથી નળના પાણીના બધા જ 10 સેમ્પલ્સ બીઆઈએસના બધા જ 11 માપદંડોને પૂરા કરતાં સલામત હોવાનું જણાયું હતું જ્યારે અન્ય શહેરોના પાણીના સેમ્પલ એક અથવા વધુ માપદંડોમાં નિષ્ફળ ગયા હતા. પાસવાને ઉમેર્યું કે હાલમાં નળના પાણી માટે ગુણવત્તાના માપદંડોનો અમલ ફરજિયાત નહીં હોવાથી આકરાં પગલાં લઈ શકાય તેમ નથી. એક વખત આ માપદંડોનો અમલ ફરજિયાત થશે પછી સરકાર પગલાં લઈ શકશે.
બીઆઈએસે 20 પાટનગરોમાં પાણીની ગુણવત્તાની તપાસ એક ખાનગી લેબમાં કરાવાયા પછી જણાયું કે દિલ્હીનું પાણી સૌથી વધુ પ્રદુષિત છે. દિલ્હીમાં કૃષિ મંત્રાલય, બુરાડી, સોનિયા વિહાર સહિત ખાદ્ય અને ગ્રાહક મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના ઘર 12 જનપથનું પાણી પણ પ્રદૂષિત હોવાનું જણાયું છે. આ બધી જગ્યાએથી લેવાયાલે પાણીના સેમ્પલ બીઆઈએસના બધા જ માપંદડો પર નિષ્ફળ ગયા. આ પાણીમાં ટીડીએસનું ઊંચું સ્તર, પીએચ, એલ્યુમિનિયમ, નાઈટ્રેટ, ડિટર્જન્ટ સિવાય ઈ.કોલી જેવા બેક્ટેરિયા પણ મળ્યા.
ચેન્નઈ 10 માપદંડોમાં, કોલકતા નવમાં નિષ્ફળ
બીઆઈએસ દ્વારા હાથ ધરાયેલા તાજા અભ્યાસ મુજબ ચેન્નઈમાંથી લેવાયેલા પાણીના બધા જ સેમ્પલ ગંદકી, ગંધ, સખતપણું, ક્લોરાઈડ, ફ્લોરાઈડ, એમોનિયા, બોરોન અને કોલિફોર્મ જેવા બધા જ નવ માપદંડોમાં નિષ્ફળ ગયા હતા જ્યારે કોલકાતાના સેમ્પલ નવ માપદંડોમાં નિષ્ફળ ગયા હતા. હૈદરાબાદ 'ફેનોલિક કમ્પાઉન્ડ્સ', ભુવનેશ્વર 'ક્લોરામાઈન્સ' જ્યારે ચંડીગઢ 'એલ્યુમિનિયમ' અને 'કોલિફોર્મ' જેવા માપદંડો પર નિષ્ફળ ગયા હતા.
ગુણવત્તા પરીક્ષણ ચાલુ રહેશે
પીવાના પાણીની ગુણવત્તા માટેના પ્રથમ તબક્કાના અભ્યાસમાં બીઆઈએસે દિલ્હીમાંથી નળના પીવાના પાણીના 11 સેમ્પલ્સ લીધા હતા, જે ગુણવત્તાના માપદંડો પૂરા નહોતા કરતા અને નળમાં આવતું પાણી પીવા માટે સલામત નહીં હોવાનું જણાયું હતું. બીજા તબક્કામાં દેશના બધા રાજ્યોના પાટનગરોમાંથી પાણીના સેમ્પલ લેવાયા હતા. ત્રીજા તબક્કામાં ઉત્તર-પૂર્વીય રાજ્યોના પાટનગરો અને 100 સ્માર્ટ સિટીમાંથી પાણીના સેમ્પલનું પરીક્ષણ કરાશે, જેના પરીણામ 15મી જાન્યુઆરી 2020 સુધીમાં આવવાની સંભાવના છે.