દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઇએસઆઇએસ (ISIS)ના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકીઓની ધરપકડ એન્કાઉન્ટર બાદ વજીરાબાદથી કરવામાં આવી. તેમની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે.
ત્રણેય આતંકીઓની ધરપકડ એન્કાઉન્ટર બાદ વજીરાબાદથી કરવામાં આવી
આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે
ત્રણેય આતંકીઓને વિદેશના એક હેન્ડલરથી ઇનપુટ મળી રહ્યા હતા
ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આતંકી તમિલનાડુના રહેવાસી છે. આતંકીઓ આ પહેલા પણ ગૂના કરી ચૂક્યા છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આંતકીઓએ વર્ષ 2014માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી. હિન્દુવાદી નેતાની હત્યા બાદ 6 લોકો તમિલનાડુથી ફરાર હતા.
હત્યાના આરોપી ખુઝા મોઇદ્દીન, અબ્દુલ નવાઝ અને એક અન્ય વ્યક્તિ જેમનુ નામ હજુ સુધી જાણી શકાયું નથી. પહેલા તેમણે નેપાલ ભાગ્યા હતા ત્યારબાદ એનસીઆર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હુમલા કરવાનું મોટુ ષડયંત્ર રચી રહ્યા હતા. આ તમામ શંકાસ્પદ આઇએસઆઇએસથી પ્રભાવિત છે. દિલ્હી પોલીસ સાથે આતંકીઓનું ઘર્ષણ લગભગ 7 વાગ્યે સવારે થયું.
Delhi Police Special Cell busts ISIS terror module in Delhi, 3 terror suspects arrested pic.twitter.com/p1w8oLxrap
ત્રણેય આતંકીઓને વિદેશના એક હેન્ડલરથી ઇનપુટ મળી રહ્યા હતા. આઇએસઆઇએસથી પ્રભાવિત આ આતંકીઓમાં કટ્ટરતા ભરી દેવાઇ હતી. 6માંથી 3 નેપાળ ગયા હતા અને બાકી ત્રણેય જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમને એક એપ દ્વારા હુમલો કરવાનો નિર્દેશ મળી રહ્યો હતો.
દિલ્હી પોલીસ આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે, સાથે જ આતંકીઓની મંશા જાણવાની કોશિશ કરી રહી છે. પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.