યતિ નરસિંહાનંદ તરફથી એક સમુદાય વિશેષને લઈને ટાર્ગેટ કરતું વિવાદીત નિવેદન આપ્યા બાદ FIR નોંધાઈ છે.
યતિ નરસિંહાનંદે ફરી એક વાર વિવાદીત નિવેદન આપ્યા
એક સમુદાય વિશેષને ટાર્ગેટ કર્યા
ભડકાઉ ભાષણ, પત્રકારો પર હુમલા, ફરિયાદ નોંધાઈ
યતિ નરસિંહાનંદ તરફથી એક સમુદાય વિશેષને લઈને ટાર્ગેટ કરતું વિવાદીત નિવેદન આપ્યા બાદ FIR નોંધાઈ છે. દિલ્હી પોલીસની મંજૂરી વગર હિંદુ મહાપંચાયતના કાર્યક્રમનું આયોજન કરવાને લઈને FIR નોંધાઈ છે. તેની સાથે જ ભડકાઉ ભાષણ આપનારા પર કેસ પણ નોંધાયા છે.
Delhi Police register 3 FIRs in connection with Maha Panchayat event in Burari
પ્રશાસનની મંજૂરી વગર હિંદુ મહાપંચાયતનો કાર્યક્રમ, ભડકાઉ ભાષણ ઉપરાંત પત્રકારો પર હુમલો કરવા બાબતને લઈને અલગથી FIR નોંધાઈ છે. પોતાના વિવાદીત નિવેદનમાં ચર્ચામાં રહેનારા દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિંહાનંદે રવિવારે ફરી એક વાર પોતાના નિવેદનોથી વિવાદ ઉભો કરી દીધો છે. તેમણે કથિત રીતે કહ્યું કે, જો કોઈ મુસ્લિમ વ્યક્તિ દેશનો પ્રધાન બનશે તો 20 વર્ષમાં 50 ટકા હિન્દુઓનું ધર્માતરણ થઈ જશે.
નરસિંહાનંદ હાલમાં પણ જામીન પર બહાર છે
મહાપંચાયત બુરાડી મેદાનમાં આ સંગઠને આયોજીત કર્યું હતુ, જેમાં પૂર્વેમાં પણ આ પ્રકારના કાર્યક્રમો હરિદ્વાર અને દિલ્હીના જંતર મંતર પર આયોજીત કરવામા આવ્યા હતા, જ્યાં કથિત રીતે મુસ્લિમ વિરોધી નારે લગાવામાં આવ્યા હતા. બુરાડી મેદાનમાં રવિવારે આયોજીત કાર્યક્રમમાં હિન્દુ શ્રેષ્ઠતાની ભાવના રાખનારા કેટલાય નેતાઓ સામેલ થયા હતા. નરસિંહાનંદ હરિદ્વારાની ઘટનાને લઈને હાલમાં પણ જામીન પર બહાર આવેલા છે.
જો આવું થયું તો, 50 ટકા હિન્દુઓનું ધર્માંતરણ થઈ જશે
યતિ નરસિંહાનંદને વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029માં અથવા વર્ષ 2034માં અથવા 2039માં મુસ્લિમ પ્રધાનમંત્રી બની જશે. જો એક વાર મુસ્લિમ પ્રધાનમંત્રી બન્યા તો, આગામી 20 વર્ષમનાં 50 ટકા હિંદુઓનું ધર્માંતરણ થઈ જશે. 40 ટકાની હત્યા કરી દેવામાં આવશે અને બાકી વધેલા 10 ટકા અથવા તો શરણાર્થી શિબિરોમાં હશે અથવા તો બીજા દેશમાં જતાં રહેશે.
હિન્દુઓ મરદ બનો અને હથિયાર ઉઠાવો
નરસિંહાનંદે કથિત રીતે હિંન્દુઓને પોતાના અસ્તિત્વ બચાવા માટે હથિયાર ઉઠાવાની માગ કરી છે. સોશિયલ મીડિયા પર મહાપંચાયતનો આવેલા વીડિયોમાં નરસિંહાનંદ કથિત રીતે આવું કહેતા સંભળાઈ રહ્યા છે. આ હિન્દુઓનું ભવિષ્ય હશે. જો આપ આ ભવિષ્યથી બચવા માગો છો તો મરદ બનો અને હથિયાર ઉઠાવો.