વસ્તી નિયંત્રણને રાષ્ટ્રવ્યાપી મુદ્દો બનાવવા માટે ભાજપે તૈયારી કરી લીધી હોય તેવુ લાગી રહ્યું છે. ભાજપના સાંસદ અને સંઘના વિચારક રાકેશ સિંહા સંસદમાં પ્રાઇવેટ બિલ લાવી શકે છે. તેઓ બે બાળકો બાદ નસબંધી માટેનું બિલ કરી રજૂ કરી શકે છે.
પ્રસ્તાવિત બિલમાં તમામ સમુદાય, વિસ્તાર અને જાતિના નાગરિકો માટે આ નિયમ લાગુ કરવાની જોગવાઈ છે. તેમાં 1999ની કરૂણાકરણ સમિતના સુચનો લાગુ કરવાની પણ જોગવાઈ છે. જોકે આ મુદ્દે સંસદમાં પણ ભાજપના સાંસદો ચર્ચા કરી ચુક્યા છે. બીજી તરફ વસ્તી નિયંત્રણ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો જૂનો એજંડા છે. વારંવાર સંઘ દ્વારા આ લાગુ કરવાની માગ પણ ઉઠી છે.
વસ્તી નિયંત્રણ બનશે દેશવ્યાપી મુદ્દો
ઉલ્લેખનીય છે કે, વસ્તી નિયંત્રણને ભાજપ દેશવ્યાપી મુદ્દો બનાવવામાં આવશે. પ્રાઈવેટ મેંબર બિલ રજૂ કરવાની BJPએ તૈયારી કરી છે. ભાજપના સાંસદ રાકેશ સિન્હા બિલ રજૂ કરી શકે છે. આ બિલને દેશમાં સમાન રીતે લાગૂ કરવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. બે બાળકો બાદ નસબંધીનો પણ બિલમાં પ્રસ્તાવ છે. 1999માં કરૂણાકરન કમિટીના નિર્દેશોને પણ સમાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, ભારતમાં 2011માં વસ્તીગણતરી કરાઇ ત્યારે ભારતમાં 1.21 અબજ લોકો નોંધાયા હતા. આજે ભારતની વસ્તી 1531 અબજ હોવાનું અનુમાન છે. વસ્તીવધારો દેશની એક ગંભીર સમસ્યામાંની એક હોવા છતાં થોડી રાહતની વાત એ છે કે છેલ્લા ત્રણ-ચાર દશકાથી વસ્તીવધારાના દરમાં સતત ઘટાડો થતો જાય છે.