દિલ્હી સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ, ફ્લાઇટના મુસાફરોને ફરજિયાત ક્વૉરન્ટીન કરાશે નહીં. જે મુસાફરોમાં લક્ષણો નથી દેખાતા તેમને સલાહ આપવામાં આવે છે કે આવનારા 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યને મોનિટર કરે. જો તેમનામાં કોઇ લક્ષણ દેખાય છે તો તેઓ તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ સર્વિલાન્સ ઓફિસરને સૂચના આપે.
દિલ્હી સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ગાઇડલાઇન જાહેર કરી
ગંભીર લક્ષણ હશે તેમને કોરોના વાયરસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે
દિલ્હી સરકારની ગાઇડલાઇન મુજબ જે મુસાફરોમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળશે, તેમને તાત્કાલિક પાસેના હોસ્પિટલમાં લઇ જવાશે અને ત્યારબાદ તેમની સ્થિતિની તપાસ કરવામાં આવશે. જે મુસાફરોમાં કોરોના વાયરસના મધ્યમ અને ગંભીર લક્ષણ હશે તેમને કોરોના વાયરસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે.
જ્યારે જેમનામાં કોરોના વાયરસના હળવા લક્ષણ જોવા મળશે તેમને વિકલ્પ અપાશે કે તે ઘરમાં ક્વૉરન્ટીન થાય અથવા તો હોસ્પિટલમાં ક્વૉરન્ટીન થાય. જો આવા મુસાફરો પોઝિટિવ આવે છે તો તેમની પ્રૉટોકોલ હિસાબે સારવાર થશે.
જો મુસાફરો નેગેટિવ જોવા મળે છે તો તેમને ઘરે જવાની મંજૂરી અપાશે. પરંતુ આવનારા સાત દિવસ સુધી ઘરમાં રહીને આઇસોલેટ રહીને પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખશે. જો કોઇ લક્ષણ નજરે પડે છે તે તેમની સૂચના ડિસ્ટ્રિક્ટ સર્વિલાન્સ ઓફિસરને આપશે.