દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ સ્મોગ ટાવરને હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ઉભો કરવામાં આવ્યો છે. જેના પ્રારંભિક વલણો એક મહિનાની અંદર ઉપલ્બ્ધ કરવામાં આવશે.
દેશનું પ્રથમ સ્મોગ ટાવર દિલ્હીમાં
આ ટાવરનું પાયલટ પ્રોજેક્ટ થયું તૈયાર
CM કેજરીવાલે કર્યું ઉદઘાટન
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે આવેલ ભારતના સૌપ્રથમ સ્મોગ ટાવરનું ઉદઘાટન કર્યું. જો પાયલટ પ્રોજેક્ટ સફળ થાય છે તો દેશની રાજધાની દિલ્હીમાં આવા વધુ સ્મોગ ટાવર ઊભા કરવામાં આવશે. આ ટાવર તેની આસપાસના 1 કિ.મી સુધીના અંતરની 1000 ક્યુબિક મીટર હવાને માત્ર એક સેકન્ડમાં પ્યોરિફાઇ કરવાની ક્ષમતા ધરાવે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે " આ ટાવરને હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ઉભો કરવામાં આવ્યો છે, જેના પ્રારંભિક વલણો એક મહિનાની અંદર ઉપલ્બ્ધ કરવામાં આવશે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ થાય છે તો દેશની રાજધાની દિલ્હીમાં આવા વધુ સ્મોગ ટાવર ઊભા કરવામાં આવશે. જો કનૉટ પ્લેસ પર બનાવવામાં આવેલ આ ટાવર સારા પરિણામો આપે છે તો સ્મોગ ટાવર્સ રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્થાપી શકાશે."
આ ટાવર કનૉટ પ્લેસમાં આવેલ શિવાજી સ્ટેડીયમ મેટ્રો સ્ટેશન નજીક આવેલ છે જેની ઊંચાઇ 24.2 મીટર છે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC)ના અહેવાલ મુજબ 2 વર્ષ દરમિયાન થયેલ ઑપરેશનલ ખર્ચ સહિત આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 20 કરોડ રૂપિયા જેટલો થયો હતો.
Delhi में लगा देश का पहला Smog Tower!
▪️America से आयात नई तकनीक से बना टावर।
▪️24 मीटर ऊँचे Tower की क्षमता 1000 cubic meter/sec; 1 KM तक की हवा होगी साफ।
આ ટાવર 'એર ક્લીનીંગ' દ્વારા વાતાવરણમાં રહેલ વાયુ પ્રદૂષણના ઘટાડાનું મુલ્યાંકન કરવાના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરે છે. 2 વર્ષ લાંબા પાયલટ પ્રોજેક્ટનું મુલ્યાંકન IIT દિલ્હી અને બોમ્બે દ્વારા થશે.