દિલ્હીમાં થયેલા રમખાણો પહેલા ભાજપના બે દિગ્ગજ નેતાઓ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર ફરિયાદ નોંધાતા દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેને લઈને કોર્ટે આ પ્રકારની ટિપ્પણી આપી હતી.
ભાજપના નેતાઓ પર નોંધાયેલી ફરિયાદમાં સુનાવણી
વાંધાજનક ભાષણ બાદ રમખાણો થયા હોવાનો આરોપ
હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદાને રિઝર્વ રાખતા ટિપ્પણી કરી છે કે, જો હસતા હસતા કંઈક કહી રહ્યા છો, તો તે ગુનો નથી, પણ જો આપ કંઈક વાંધાજનક કહી રહ્યા છો, તો તે જરૂરથી ગુનો બને છે. હકીકતમાં આ ટિપ્પણી તે અરજી પર સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ગુનાહિત કેસ ચલાવાની વાત કરવા પર આપી છે. હાઈકોર્ટની પીઠે હાલમાં અરજી પર કોઈ નિર્ણય આપ્યો નથી.
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, નિર્ણય અનામત રાખ્યો
આ મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ ચંદ્રધારી સિંહની એક બેંચ કરી રહી છે. અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રધારી સિંહે આગળ કહ્યું કે, રાજકીય ભાષણો પર ફરિયાદ કરતા પહેલા ચેક એન્ડ બેલેંસની જરૂર હોય છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, સીપીઆઈ નેતા વૃંદા કરાત તરફથી દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા નિચલી કોર્ટના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ નેતા પરવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચુકી છે.
આવી રીતે થયો હતો કેસ
આ અરજી નિચલી કોર્ટમાં વર્ષ 2020માં દિલ્હી રમખાણોની ઠીક પહેલા આપેલા ભાષણોના સંબંધમાં છે. નિચલી કોર્ટે પૂર્વમાં રદ અને રજૂ થયેલી અરજીમાં જણાવ્યા અનુસાર મંત્રીએ ભાષણ દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સમર્થકોને આહ્વાન કર્યું હતું કે, દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સા...કો...ના નારા લગાવ્યા હતા. આ તમામની વચ્ચે 29 જાન્યુઆરી વર્ષ 2020માં ચૂંટણી પંચે અનુરાગ ઠાકુરને નોટિસ પણ ફટકારી હતી. વૃંદા કરાતે બાદમાં નિચલી કોર્ટ સમક્ષ ફરિયાદમાં અભદ્રભાષાનો ઉપયોગ પર, કેસ નોંધવાની માગ કરી હતી.
અરજીકર્તાની દલીલો
સીપીઆઈ નેતા વૃંદા કરાતના વકીલ અદિત પૂજારી તથા તારા નરૂલાએ આ મામલામાં સંબંધિત તમામ દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં કહેવાયુ હતું કે, આ ભાષણોએ દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં સીએએ વિરુદ્ધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાને ભડકાવી હતી. સાથે જ આ દરમિયાન અનુરાગ ઠાકુર તરફથી 'યે લોગ' જેવા શબ્દો વાપરીને સંકેત મળે છે કે, આરોપી મંત્રી પ્રદર્શનકારીઓ અને એક વિશેષ સમુદાયને ટાર્ગેટ બનાવી રહ્યા હતા.
ચૂંટણી ભાષણ અને અન્ય સમયે આપેલા ભાષણમાં અંતર હોય છે- હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટમાં મામલાની સુનાવણી કરી રહેલા એકલ પીઠે ટિપ્પણી કરી છે કે, ચૂંટણી ભાષણ અને અન્ય સમયે આપેલા ભાષણોમાં અંતર હોય છે કારણ કે, જો ચૂંટણી સમયે કોઈ ભાષણ આપવામાં આવે છે, તો તે એક અલગ સમય હોય છે. જો આપ સામાન્ય ભાષણ આપી રહ્યા છો તો આપ કંઈક ભડકાવી રહ્યા છો. ચૂંટણી ભાષણમાં રાજનેતાઓ દ્વારા એક બીજાથી વિરુદ્ધ ઘણી વાતો કહેવામાં આવે છે. એ પણ ખોટું છે. પણ મને અધિનિયમની અપરાધિકતાને જોવાનું રહેશે.