રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના વધતાં કેસ વચ્ચે કોવિડ-19 એટલી હદે ફેલાયેલો છે કે તેને શોધવા માટે સીરોલૉજિકલ સર્વે (Serological Survey) પર આજથી કામ શરૂ થશે. દિલ્હી કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક છે. આ સર્વે દ્વારા દિલ્હીમાં કોવિડ-19નું વ્યાપક વિશ્લેષણ કરવામાં આવશે તેમજ વૈશ્વિક મહામારી સામે લડવા માટે એક વ્યાપક રણનીતિ બનાવામાં પણ મદદરૂપ થશે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
આ સર્વે કોવિડ-19 રિસ્પૉન્સ પ્લાનનો એક ભાગ છે અને અધિકારીઓને આશા છે કે કોરોના મહામારી સામે લડવા માટે વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં મદદ મળશે. સર્વેક્ષણનું કામ દિલ્હી સરકાર અને નેશનલ સેંટર ફોર ડીજીસ કંટ્રોલ (NCDC) ના સહયોગથી કરવામાં આવશે. આ 27 જૂનથી 10 જુલાઇ સુધી ચાલશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરી કહ્યું કે દિલ્હીમાં સર્વેક્ષણનું કામ 27 જૂનથી શરૂ થશે. બધી સંબંધિત ટીમોની ટ્રેનિંગનું કામ કાલે પુરુ થઇ ગયું છે.
સત્તાવાર મળેલા આદેશ મુજબ દિલ્હીના દરેક જિલ્લામાં કુલ 20,000 ટેસ્ટ કરવામાં આવશે. તેમાં બધા ઉંમર અને વર્ગના લોકો સામેલ થશે. આદેશમાં જણાવામાં આવ્યું છે કે જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર સર્વેક્ષણ કરનારી ટીમોની સાથે પ્રબાવી તાલમેલ રાખશે.
ગૃહ મંત્રાલયના નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણથી અધિકારીને કોવિડ-19નું વધારે વિશ્લેષણ કરવામાં મદદ મળશે અને ત્યારબાદ રાજધાની દિલ્હીમાં મહામારીથી લડવા માટે એક વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.
સીરોલૉજી (એંટીબૉડી) તપાસ ટીમ વચ્ચે ધ્યન રાખવા માટે હોય છે. આ ઉપયોગ એવા લોકો પર કરવામાં આવી શકે છે જે પહેલાથી જ સંક્રમિત જોવા મળ્યા હોય અથવા જે લોકોમાં કોરોનાના લક્ષણ ન હોય. જેનાથી કોરોના વાયરસ વિરુદ્ધ પ્રતિરોધની ક્ષમતા અંગે જાણકારી મળી શકે છે.
દિલ્હીમં કોરોના સંક્રમણના અત્યાર સુધી 73,780 કેસ સામે આવ્યાં છે અને 2429 લોકોની જેના કારણે મોત થઇ છે.