દિલ્હી સરકાર તરફથી ચલાવામાં આવી રહેલી દિલ્હી યુનિવર્સિટીની દીનદયાલ ઉપાધ્યાય કોલેજમાં ફંડની કમીના સમાચાર આવ્યા છે.
દિલ્હી સરકાર હસ્તક આવતી કોલેજમાં પ્રોફેસરોને પગાર નથી મળ્યો-ભાજપ
ભાજપ અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી
આપ પાર્ટીએ કહ્યું- કોલેજ પાસે પૈસા છે જ, કેમ નથી આપ્યા તેનો જવાબ આપો
દિલ્હી સરકાર તરફથી ચલાવામાં આવી રહેલી દિલ્હી યુનિવર્સિટીની દીનદયાલ ઉપાધ્યાય કોલેજમાં ફંડની કમીના સમાચાર આવ્યા છે. કોલેજ પાસે સ્ટાફને આપવા માટે પૈસા નથી. કોલેજ પ્રશાસને એક નોટિસ જાહેર કરીને આસિસ્ટેંટ પ્રોફેસરના પગારમાંથી 30 હજાર અને એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરોના પગારમાંથી 50 હજાર અટકાવી દેવામાં આવ્યા છે. આ કાપ જૂલાઈના વેતનમાંથી કરવામાં આવ્યો છે. કોલેજના કાર્યવાહક પ્રિન્સિપલે નોટિસમાં કહ્યું છે કે, જેવું ફંડ મળશે, સેલરી આપી દેવામાં આવશે. આ કોલેજને દિલ્હી સરકાર તરફથી 100 ટકા ફંડીગ થાય છે અને તેની સ્થાપના 1990માં કરવામાં આવી હતી. આ અગાઉ આમ આદમી પાર્ટીના શાસનવાળા પંજાબમાંથી સરકારના કર્મચારીઓના વેતન એક અઠવાડીયા મોડા મળ્યા હોવાના સમાચાર આવ્યા હતા. જો કે, રાજ્યના નાણામંત્રીએ કહ્યું હતું કે, આવું ટેકનિકલ કારણોસર થયું હતું અને ખજાનો ખાલી હોવાની વાત અફવા છે.
ભાજપના નેતાએ કર્યા આ ટ્વિટ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વિટ કર્યું કે, અરવિંદ કેજરીવાલ પોતાનું શિક્ષણ મોડલની પ્રશંસા કરવામાં જાહેરાત અને પીઆર સ્ટોરીઝ માટે સેંકડો કરોડો રૂપિયા આપી રહ્યા છે, પણ તેમની પાસે દિલ્હીની શિક્ષકોને આપવા માટે પૈસા નથી.
કોલેજની પાસે છે 30 કરોડની FD- આપ
તેના પર આપ નેતા સૌરભ ભારદ્વાજે નિવેદન આપ્યું છે કે, જો કોઈ કોલેજને દિલ્હી સરકારે ફંડ આપી દીધું છે અને દિલ્હી સરકારે તેમને પુછ્યું કે, અમે જે પૈસા આપ્યા તે ક્યાં ખર્ચ કર્યા, તેનું વિવરણ સરકારને આપો. જે પણ સંસ્થા પૈસા આપશે, તે વિવરણ માગશે કે કોલેજ હિસાબ આપે અને પૈસા ક્યાં ખર્ચાયા, મારી જાણકારીમાં કોલેજ પાસે 30 કરોડની FD છે. કોલેજ તે પૈસાને રાખીને પોતાની શિક્ષકને પગાર આપવા નથી માગતા. તેની પાછળનું કારણ શું છે ?
Delhi | There's misgovernance in 20 more colleges under Delhi govt. Governing bodies in those colleges have been politicized, AAP workers appointed as members: AK Baghi, DUTA President
પણ હું કહેવા માગુ છું કે, જો એક કોલેજની અંદર પગાર નથી મળ્યો, તો ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેને એજન્ડા બનાવી રહ્યું છે. તેની પાછળનો આશય ફક્ત ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓથી ઉપર ટાર્ગેટ કરવામાં આવે છએ અને કોઈ પણ રીતે તેને બંધ કરવાનો પુરો માહોલ બનાવામાં આવી રહ્યો છે. ભાજપ ખુલીને ગરીબોના વિરોધમાં નથી આવવા માગતી, કારણ કે, તેમને ખબર છે કે, જો ગરીબો નારાજ થઈ ગયા તો, ફરી વાર બીજા કોઈ રાજ્યમાં સરકાર નહીં બને. પણ પાછલા બારણેથી અરવિંદ કેજરીવાલની કલ્યાણકારી યોજનાઓ પર ટાર્ગેટ કરવાનું ભાજપ સુધરશે નહીં.