દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી નગર નિગમોના એકીકરણની આડમાં MCD ચૂંટણી ટાળવાને લઇને કેન્દ્રમાં સત્તાધારી ભાજપ પર પ્રહાર કર્યા.
દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી કેજરીવાલનું નિવેદન
ભાજપ જ્યાં હારે ત્યાં ચૂંટણી પાછી ઠેલાય છેઃ કેજરીવાલ
ગુજરાતમાં હાર દેખાશે તો ચૂંટણી પાછી ઠેલાશેઃ કેજરીવાલ
સમગ્ર દેશના નેતાઓની નજર હાલ ગુજરાત પર છે એટલે કે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી પર. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ જ્યાં હારે છે ત્યં ચૂંટણી પાછી ઠેલાય છે. ગુજરાતમાં હાર દેખાશે તો ચૂંટણી પાછી ઠેલાશે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં હાર દેખાશે તો ભાજપ ઇલેક્શન કમિશનને કહી દેશે કે ચૂંટણી પાછી ઠેલો.
હારના ડરથી દિલ્હી નગર નિગમની ચૂંટણી ટાળીઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછ્યું કે શું આ રીતે ગુજરાત કે પછી લોકસભા ચૂંટણી પણ ટાળી શકાય છે. કેજરીવાલે ભાજપના આ નિર્ણયને શહીદોનું અપમાન ગણાવ્યું છે. કેજરીવાલે પોતાની એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, ભાજપે દિલ્હી નગર નિગમની ચૂંટણી ટાળી તે શહીદોનું અપમાન છે, જેમણે અંગ્રેજોને દેશથી ભગાડીને દેશમાં જનતંત્ર સ્થાપિત કરવા માટે કુર્બાનીઓ આપી હતી. આજ આ હારના ડરથી દિલ્હી નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે, કાલ આ રાજ્યો અને દેશની ચૂંટણી ટાળી દેશે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં હાર દેખાશે તો ચૂંટણી પાછળ જશેઃ કેજરીવાલ
ભાજપ એ કહીને MCDની ચૂંટણી ટાળી રહ્યું છે કે દિલ્હીના ત્રણેય નિગમો કરી કરી રહ્યા છે. શું આ કારણે ચૂંટણી ટાળી શકે છે? કાલે આ ગુજરાત હારી રહ્યા હશે તો શું એમ કહીને ટાળી શકે છે કે ગુજરાત અને મહારાષ્ટ્રને એક કરી રહ્યા છીએ? શું આ પ્રકારનું કોઈ બહાનું બનાવીને લોકસભા ચૂંટણી ટાળી શકાય છે?
ભાજપ પોતાનામાં દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે. કમાલ છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી એક નાની એવી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ? હિમ્મત હોય તો MCDની ચૂંટણી ટાઇમ પર કરીને બતાવો.
... તો અમે રાજનીતિ છોડી દઇશુંઃ કેજરીવાલ
આની સાથે જ આજે દિલ્હી વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, જો ભાજપ MCD ચૂંટણીઓને સમય પર કરાવીને જીત મેળવી શકે છે તો અમે રાજનીતિ છોડી દઇશું. દિલ્હીના ત્રણેય નગર નિગમોને એક કરવીને બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યાના એક દિવસ બાદ તેમણે એલાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટથી દિલ્હીના ત્રણેય નગર નિગમોને એક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે કે શું દિલ્હીમાં નિગમ ચૂંટણી ટાળવાના છે? રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જોકે આ સંભાવનાને નકારી છે. વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો ચૂંટણી સમય પર થશે કે ટળશે, આ નિર્ણય 18 એપ્રિલ બાદ થશે.