દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. મતગણતરી ચાલી રહી છે. પરંતુ કેટલીક બેઠકો પર લીડની હિસાબથી સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બાજી મારશે. 70 બેઠકોમાં આમ આદમી પાર્ટીને બે તૃતીયાંશથી વધુ બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપે છેલ્લી ચૂંટણીની તુલનાએ સારૂ પ્રદર્શન તો કર્યું પરંતુ તેઓ સત્તાથી બહુ જ દૂર છે. દિલ્હીની જનતાએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં દરેક મુદ્દે ઊંડાણ કર્યા બાદ ભાજપને વિકલ્પરૂપે ન જોયું કે ના દેશના ગૃહમંત્રી અમિત શાહનું શાહીન બાગમાં કરન્ટ લાગવાવાળું નિવેદન પસંદ આપ્યું. પરવેશ વર્મા અને અનુરાગ ઠાકુરનું ગોળી મારો વાળું નિવેદન પણ ના ગમ્યું.... આ 10 કારણો ભાજપની હાર માટે હોઇ શકે છે જવાબદાર...
દિલ્હી અંતે કેજરીવાલે જ જીત્યું
ભાજપની આ 10 ભૂલોના કારણે મળી હાર
અરવિંદ કેજરીવાલની બરાબરીનો કોઇ ચેહરો નહીં
જોવામાં આવે તો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપે દરેક પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચેહરાનો ઉપયોગ કર્યો. પરંતુ વાત મોદીના ચેહરા પર પણ ના બની. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની હારનું કારણ શું છે?
1. સ્થાનિક ચૂંટણીમાં 370, ટ્રિપલ તલાક અને CAA
2019માં લોકસભા ચૂંટણી થઇ. ભાજપ જીત્યું. નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બન્યા. આગામી ચૂંટણી 2024માં છે. પરંતુ ભાજપના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીએ તો લાગે છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી નહીં, લોકસભાની ચૂંટણી લડવા જઇ રહ્યા છે. પાર્ટીનું કહેવું હતું કે મોદી સરકારે જમ્મૂ કાશ્મીરથી 370 હટાવી. પાડોશી દેશમાં અલ્પસંખ્યકોની મદદ માટે નાગરિકતા સંશોધન કાયદો બનાવ્યો અને મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યું. મતદાર એટલો પણ ભોળો નથી કે તેઓ સ્થાનિક મુદ્દાઓમાં ફરક કરી શકે. દિલ્હીવાસીઓએ પાણી, વિજળી, શિક્ષણ અને ચિકિત્સા જેવા મુદ્દાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. આ મુદ્દાઓની બોલબાલા આપના કેમ્પેઇનમાં દેખાઇ.
2. મારી પાસે માત્ર મોદી છે...
આ દિવસોમાં ભાજપની માત્ર એક તાકાત છે, તે છે નરેન્દ્ર મોદી. પરંતુ હાલમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં તેમના નામનો ઉપયોગ મન અનુસાર પરિણામ ન દેખાયા. એવું દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની શરૂઆતના વલણનો પણ ઇશારો આપી રહ્યા છે. આ ચૂંટણીમાં દિલ્હીના લોકોને કદાચ એક વાત સમજમાં આવી ગઇ હતી કે જો તેઓ ભાજપને વોટ આપે છે તો પણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી નહીં બને. હવે એક નજર દિલ્હી ભાજપના નેતાઓની યાદી પર નાખીએ તો કોઇ પણ નેતા અરવિંદ કેજરીવાલને પડકાર આપતો ન દેખાતો. તેવામાં ભાજપ વિકલ્પ ન આપી શકી. જે આપના પક્ષમાં જાય છે.
3. સકારાત્મક ન હતું કેમ્પેઇન
એક વાત દરેક માને છે કે નકારાત્મક કેમ્પેઇનના જે પરિણામ નથી આપતું જે સકારાત્મક કેમ્પેઇન આપી શકે છે. ભાજપના સંકલ્પ પત્રમાં કેટલાક લોકલોભના વચન હતા, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર કરવામાં આવેલા હુમલા ખુબ જ નકારાત્મક ચરિત્રના હતા. અરવિંદ કેજરીવાલ માટે આતંકવાદી જેવા શબ્દોનો ઉપયોગ, કોઇ પણ દિલ્હી મતદારના ગળે ન મળવું. આ સિવાય પાર્ટીએ અંતે 10 દિવસમાં ચૂંટણી પ્રચારને શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને ધરણા પ્રદર્શન પર કેન્દ્રિત કરવાના પ્રયત્નો કર્યા. આ દરમિયાન પણ ભાજપના કેટલાક સ્ટાર પ્રચારકોએ પાયાવિહોણા અને સંપ્રદાય વિશેષ વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યા. આ પ્રકારે ચૂંટણી પ્રચાર ક્યાંથી પણ મતદારોને કોઇ એક પાર્ટી માટે મત આપવા માટે પ્રેરિત નહીં કરે.
4. નબળી પડતી અર્થવ્યવસ્થા અને પૂરા ન થતા સપના
જોવામાં આવે તો દિલ્હી બહુ જ હદ સુધી શહેરી વિસ્તાર છે. દિલ્હીમાં દેશના દરેક રાજ્યના લોકો રહે છે. આ મહાનગર છે. એટલે એક એવું ક્ષેત્ર જેમાં નબળી થતી અર્થવ્યવસ્થાની સૌથી વધુ અસર જોવા મળવી જોઇએ. એવું થયું પણ છે. ભાજપના પ્રવક્તા અને મોટા નેતા ભલે એમ કહે કે દેશમાં બધુ ઠીક છે. અમે ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. પરંતુ આર્થિક આંકડાઓ કંઇ બીજી જ સચ્ચાઈ બતાવી રહ્યા છે. દેશ પર મંદીરનો ખતરો ઝળુંબી રહ્યો છે. તેવામાં અસર માર્કેટમાં પણ દેખાઇ છે. અને અહીંથી માહોલ બને છે કે બધુ ઠીક નથી. આ મુદ્દો ભાજપ માટે ભારે પડ્યો છે.
5. કોંગ્રેસના મતદારો ક્યાં ગયા?
અત્યાર સુધી મતોની ગણતરીથી એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાગ લીધો. આ સિવાય કંઇ ન કર્યું. ના કોઈ રણનીતિ અને ના કોઈ નેતા. એક સમયે દિલ્હીમાં સતત ત્રણ વખત સત્તા પર કબજો કરનારી પાર્ટી સમગ્ર રીતે ધ્વસ્ત થઇ ગઇ છે. સ્થિતિ તો એ છે કે પાર્ટી છેલ્લી વિધાનસભા ચૂંટણીની તુલનામાં પણ ઓછા મત મળતા દેખાઇ રહ્યા છે. તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આનો ફાયકો કોને થયો? ભાજપના મત તો વધ્યા છે પરંતુ કેટલીક બેઠકો પર કોંગ્રેસના નબળા પ્રદર્શને આમ આદમી પાર્ટીનો રસ્તો સરળ બનાવી દીધો.
7. જનતાની નસ ના ઓળખી શકી ભાજપ
ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જનતાની નસ ના ઓળખી શકી, પાર્ટીના એ મુદ્દાઓ પર પ્રચાર ન કર્યો જેના પર દિલ્હીની જનતા મતદાન કરવાની હતી.
8. અમિત શાહની યોજનાઓની અવગણના
તત્કાલિન પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના વારંવાર કહેવા છતા પણ ભાજપના સાત સાંસદો અને સ્થાનિક નેતાઓ આમ આદમી પાર્ટી સરકારની ફ્લેગશિપ યોજનાઓમાં કોઈ કમી ના શોધી શક્યા.
9. ફ્રી યોજનાઓ બંધ થવાનો ડર
આમ આદમી પાર્ટીની ફ્રી વિજળી, ફ્રી પાણી, મોહલ્લા ક્લિનિક જેવી યોજનાઓના મુકાબલે ભાજપ કોઈ યોજના સામે લઇને નથી આવી. પરંતુ ઉલ્ટાની આ યોજનાઓની આલોચના કરીને ભાજપના નેતાઓએ દિલ્હીની જનતામાં આ ડર બેસાડી દીધો કે જો ભાજપ સરકાર આવે છે તો ફ્રી વિજળી-પાણી બંધ થઇ જશે.
10. ઉમેદવારોની પસંદગી અને સ્થાનિક નેતાઓની અવગણના
ભાજપે ઉમેદવારીની પસંદગીમાં જરૂરીયાતથી વધુ મોડું કર્યું. ત્યાં સુધી કે સ્થાનિક નેતાઓનો આરોપ છે કે પાર્ટીએ દિલ્હીમાં એકતૃત્યાંશ બેઠકો પર બહારના નેતાઓને ઉમેદવાર બનાવી નાખ્યા. ભાજપના ચૂંટણી પ્રચારને જોઇએ તો પાર્ટીમાં સ્થાનિક નેતાઓથી વધુ બહારના એકઠ્ઠા થયા. બહારના નેતાઓ અને મંત્રી, સાંસદોની સંખ્યા એટલી વધુ રહી કે કેટલાક વખત સ્થાનિક નેતાઓ પોતાને અવગણાયેલ અનુભવવા લાગ્યા.