ભારત અને ચીન વચ્ચે જારી સીમા વિવાદ વચ્ચે આજથી વાયુ સેનાની 3 દિવસીય કોન્ફ્રન્સ શરૂ થઇ છે. આ કોન્ફ્રન્સની અધ્યક્ષતા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એ. ભદૌરિયા કરી રહ્યાં છે. કોન્ફ્રન્સમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને તમામ સાતેય કમાન્ડર ઇન ચીફ સામેલ થયા છે. રાજનાથસિંહે બેઠકમાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત પણ કર્યું હતું.
વાયુ સેનાની આ કોન્ફ્રન્સમાં ચીન સામેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત રાફેલને લદ્દાખમાં તૈનાત કરવા પર પણ નિર્ણય લેવાઇ શકે છે. તેમજ આ કોન્ફરન્સમાં લદ્દાખમાં વાયુસેનાની કામગીરીની રાજનાથ સિંહે વખાણ કર્યા હતા તેમજ તેમને સતર્ક રહેવા કહ્યુ હતુ. જો ભારત- ચીન વચ્ચે સ્થિતિ વણશે તો તાત્કાલિક શોર્ટ નોટિસ પર જવાબ આપવાની તૈયારી દાખવવા સૂચન કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે મેમાં ભારત અને ચીનની વચ્ચે સ્થિતિ વણસી હતી. જેને પગલે ભારતીય વાયુ સેનાએ પોતાના ફાઈટર જેટ અને અટેકિંગ હેલિકોપ્ટર જેવા કે અપાર્ચેની તૈનાતી એલએસી પર કરી દીધી હતી. તેમજ વાયુસેનાના જવાનો અને હથિયારોને એર લિફ્ટ કરાયા હતા.